બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર પોતાના નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જ્યારે ફરી એકવાર તે ચર્ચામાં આવી છે. સ્વરા પર દેશમાં ધર્મના અને સમાજના ભાગલા પાડવાના આરોપ લાગ્યા છે અને તેમના પર રાજદ્રોહનો કેસ થયો છે.
સ્વરા પર રાજદ્રોહનો કેસ દાખલ
વિજય બક્ષી નામના વ્યક્તિએ સ્વરા વિરુદ્ધ આ પગલું ભર્યું છે
સ્વરા પર ધર્મના આધારે સમાજના ભાગલા પાડવાના આરોપ લાગ્યા છે
દિલ્હીમાં સીએએ વિરુદ્ધ શાહિનબાગમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે એક હવે સ્વરા ભાસ્કરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સ્વરા પર ધર્મના આધારે સમાજના ભાગલા પાડવાના આરોપ લાગ્યા છે.
સ્વરા પર આરોપ છે કે તેમણે ભારત સરકાર, સુપ્રીમ કોર્ટ અને સુરક્ષા એજેન્સી પર ખોટી ટિપ્પણીઓ કરી છે તેમજ લોકોમાં નફરત અને દ્રેષ ફેલાય તેવા નિવેદનો આપ્યા છે. જેનાથી સમાજમાં ભેદભાવ પેદા થઈ રહ્યાં છે. સ્વરા પર તેવા પણ આરોપ લાગ્યા છે કે તેમના નિવેદનો અને ટ્વીટથી દુનિયાભરમાં દેશની છબી ખરાબ થઈ રહી છે. અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને નુકશાન થઈ રહ્યું છે. આ કેસની 20 માર્ચે સુનાવણી થશે.