બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન હાલ આર્યન ખાનના કેસના કારણે મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે શત્રુઘ્ન સિન્હાનો સાથ મળ્યો છે.
શત્રુઘ્ન સિન્હા આર્યનના સપોર્ટમાં આવ્યા
શાહરુખને દિકરો છે એટલે ટાર્ગેટ કરાય છે
આર્યન ખાન કેસમાં ઘણા સેલેબ્સ આવ્યા સપોર્ટમાં
એક ઇન્ટરવ્યૂમાં શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, આપણે એવું ન કહી શકીએ કે તેમનો ધર્મ તેમને નડ્યો છે. પરંતુ કેટલાક લોકો આ વિષયને ઉપયોગ કરી રહ્યાં છે. જે બિલકુલ ખોટુ છે. જે કોઇ પણ છે ભારત માતાનો દિકરો છે અને સંવિધાન તરીકે એક સમાન છે. શાહરુખ ખાનના કારણે તેના દિકરાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે કોઇ મુનમુન ધામેચા, અરબાઝ મર્ચન્ટ પર કોઇ વાત નથી કરી રહ્યું.
દીપિકાને ટાર્ગેટ કરી હતી
એક્ટરે કહ્યું કે, ગઇ વખતે જ્યારે આવું થયુ ત્યારે દીપિકા પર ફોકસ કરવામાં આવ્યું હતું. બીજા પણ ઘણા નામ હતા પરંતુ લોકો માત્ર દીપિકા પર જ ફોકસ કરી રહ્યાં હતા.
આર્યન ખાન ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ છે
સુપરસ્ટાર શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ છે મુંબઈના જાણીતા વકીલ સતીશ માનશિંદે આર્યન ખાનનો કેસ લડી રહ્યા હતા. હવે શાહરૂખ ખાને આર્યન કેસ માટે નવા વકીલની નિમણૂક કરી છે.
આજે મળશે જામીન?
આર્યનના વકીલ સતીષ માનશિંદેએ 3 વાર જામીનની અરજી દાખલ કરી છે પણ સૌથી મોટો સવાલ તે છે કે શું આજે આર્યનને જામીન મળી શકશે ખરાં? જો NCB કહે કે હજુ તેમને તપાસ કરવી છે તો જજ શું નિર્ણય લેશે તે કોઇ કહી શકે નહી. દલીલ કર્યા બાદ જ કોઇ નિર્ણય સામે આવી શકશે.