કોરોના વાયરસથી ચાલતા દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યુ છે. સેલેબ્સ આર્થિક સહાય કરીને તેમનું યોગદાન આપી રહ્યા છે. લોકડાઉનને કારણે શૂટિંગ બંધ છે જેની અસર ઇન્ડસ્ટ્રીના સહારે કામ કરતા ડેઇલી વેજ વર્કર્સ પર પડી છે. આ વર્કર્સને હવે સલમાન ખાન આર્થિક સહાય કરવાનો છે.
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયન સિને એમ્પ્લોયસ (FWICE)ના જણાવ્યા મુજબ, સલમાન ખાનનું બીઇંગ હ્યુમન ફાઉન્ડેશન આ વર્કર્સની સહાયે આવ્યું છે. FWICEના પ્રેસિડેન્ટ બી એન તિવારીએ કહ્યું કે, સલમાનના એનજીઓએ ત્રણ દિવસ પહેલાં જ ફોન કરી દીધો હતો. અમારી પાસે 5 લાખ જેટલા વર્કર્સ છે જેમાંથી 25,000ને આર્થિક મદદની જરૂર છે. બીઇંગ હ્યુમન ફાઉન્ડેશન આ વર્કર્સની તેમની રીતે કાળજી લેશે. તેમણે આ વર્કર્સની અકાઉન્ટ ડિટેલ્સ માગી છે અને તેઓ ઈચ્છે છે કે પૈસા સીધા તેમના ખાતામાં જ જાય.
IMPORTANT... Producers Guild of India announce Relief Fund for daily wage earners impacted by complete shutdown of film,
television and OTT productions... OFFICIAL statement... #CoronaVirus#COVID19pic.twitter.com/UywHCZL3O3
આ સિવાય પ્રોડ્યૂસર્સ ગીલ્ડ ઓફ ઇન્ડિયા દ્વારા પણ રિલીફ ફંડનું આયોજન કરવામાં આવ્યું છે જેથી આ મહામારીને કારણે અસરગ્રસ્ત થયેલ ટીવી, ફિલ્મ અને વેબ પ્રોડક્શનના કાર્યકરોને મદદ કરી શકાય. અગાઉ સોનમ કપૂરે કહ્યું હતું કે તે અને તેનો પરિવાર આ વર્કર્સની મદદ કરવાના છે.
અક્ષય કુમારે પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને લખ્યુ હતુ કે, અત્યારે એ સમય છે જ્યારે આપણે પોતાના લોકોની જિંદગીની ચિંતા કરીને તેની કાળજી રાખવા જેટલું થઇ શકે એટલું કરવું જોઈએ. હું મારી બચતમાંથી પીએમ મોદીજીના ફંડમાં 25 કરોડ રૂપિયાનું યોગદાન આપવાની શપથ લઉં છું. ચાલો જિંદગી બચાવીએ. જાન હૈ તો જહાન હૈ.
This is that time when all that matters is the lives of our people. And we need to do anything and everything it takes. I pledge to contribute Rs 25 crores from my savings to @narendramodi ji’s PM-CARES Fund. Let’s save lives, Jaan hai toh jahaan hai. 🙏🏻 https://t.co/dKbxiLXFLS
આ મહામારી સામે લડવા માટે ઘણા સેલેબ્સ આર્થિક સહાય કરી રહ્યા છે. અગાઉ કોમેડિયન કપિલ શર્માએ પીએમ ફંડમાં 50 લાખ રૂપિયા આપ્યા છે. ઉપરાંત હ્રિતિક રોશને 20 લાખ રૂપિયાની કિંમતના માસ્ક કેરવર્કર્સ માટે આપ્યા છે. સાઉથ ઇન્ડસ્ટ્રી પણ આ પહેલમાં પાછળ નથી. પ્રભાસે 4 કરોડ રૂપિયા, પવન કલ્યાણે 2 કરોડ, રામ ચરણે 70 લાખ, ચિરંજીવીએ 1 કરોડ, મહેશ બાબુએ 1 કરોડ રૂપિયા, અલુ અર્જુને સવા કરોડ રૂપિયા,અને રજનીકાંતે 50 લાખ રૂપિયા આપ્યા છે.