બોલિવૂડ માટે ગત 24 કલાક ખૂબ જ દુઃખદ સાબિત થયા છે. દેશના બે મહાન અભિનેતાઓ ઈરફાન ખાન અને ઋષિ કપૂરે દુનિયાને અલવિદા કહી દીધી છે. આજે એટલે કે ગુરૂવારે ઋષિ કપૂરનું દુઃખદ અવસાન થયું છે જ્યારે ગઈ કાલે એટલે કે બુધવાને ઈરફાન ખાનનું નિધન થયું હતું. આ બંને કલાકારો લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યાં હતા. ગઈકાલે ઈરફાન જંગ હારી ગયો અને આજે ઋષિ કપૂરે દુનિયા છોડી દીધી.
બોલિવૂડના બે મહાન કલાકારોએ દુનિયાને કહ્યું અલવિદા
ઈરફાન ખાન બાદ ઋષિના નિધનથી સમગ્ર દેશ શોકમાં
24 કલાકમાં બે દિગ્ગજ કલાકારોને ભરખી ગયો કેન્સર
અમેરિકામાં કરાવ્યો હતો ઈલાજ
3 ઓક્ટોબર 2018એ ઋષિ કપૂરને કેન્સર હોવાનું નિદાન થયું હતું. ઋષિ કપૂરના ભાઈ રણધીર કપૂરે આ વાતની પુષ્ટિ કરી હતી. જોકે, ઋષિ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ ઈલાજ કરાવાની અમેરિકાથી પરત ભારત આવ્યા હતા. અમેરિકામાં તેમણે 11 મહિના અને 11 દિવસ ઈલાજ કરાવ્યો હતો. ત્યારબાદ જ્યારે તેઓ મુંબઈ પાછા આવ્યા તો ફેન્સે તેમનું જબરદસ્ત સ્વાગત કર્યું હતું.
અમેરિકાથી ઈલાજ કરાવીને પાછા આવ્યા બાદ પણ ઋષિ સંપૂર્ણ રીતે સ્વસ્થ નહોતા થયા. તેમનો ઈલાદ ચાલી રહ્યો હતો. બુધવારે તેમને મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમની હાલત ઘણી જ ચિંતાજનક હતી. આજે ઈલાજ દરમિયાન સવારે 8.45 લાગ્યે તેમનું નિધન થઈ ગયું. ઋષિ કપૂરે લ્યૂકેમિયાથી બે વર્ષ સુધી લડાઈ લડી હતી.
બુધવારે એટલે કે ગઈકાલે ઈરફાન ખાનનું નિધન થયું હતું. મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં 54 વર્ષની વયે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. 2018માં ઈરફાને તેમને કેન્સર થયું હોવાની જાણકારી આપી હતી. પરંતુ 2 વર્ષ સુધી કેન્સર સામે જંગ લડ્યા બાદ તેઓ ગઈકાલે જંગ હારી હયા. ઈરફાન ખાનને આંતરડા અને પેટમાં ઈન્ફેક્શનની સમસ્યા પણ હતી.
ઈરફાન ખાનને વર્સોવાના કબ્રસ્તાનાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા. લોકડાઉનને કારણે તેમના અંતિમ સંસ્કારમાં માત્ર 20 લોકો જ સામેલ થઈ ચૂક્યા હતા. હવે ઋષિ કપૂરના અંતિમ સંસ્કારમમાં પણ માત્ર 20 લોકો જ સામેલ થઈ શકશે.