બોલિવુડ એક્ટર ઋષિ કપૂરને કેન્સર થયું છે? શું તે થર્ડ સ્ટેજના કેન્સરથી પીડાઈ રહ્યા છે. કેન્સરની સારવાર માટે અમેરિકા ગયા છે?સોશ્યિલ મીડિયામાં ચાહકો સતત આ અંગે સવાલો કરી રહ્યાં છે. આ દરમિયાન ઋષિ કપૂરના ભાઈ રણધીર કપૂરે એક ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટ કરી દીધું છે કે ''ભાઈ ઋષિની તબિયત સારી છે અને ગુરૂવાર(ચાર ઓક્ટોબર)ના રોજથી ટેસ્ટ શરૂ થશે. જ્યાં સુધી ટેસ્ટના પરિણામો ના આવે ત્યાં સુધી કેવી રીતે કહી શકાય કે તેમને શું થયું છે.''
કપૂર પરિવાર માટે ખરાબ સમયઃ
રણધીર કપૂર આગળ કહ્યું હતું કે ઋષિની તબિયતને લઈને ચાલતી તમામ અટકળોને અટકાવતા કહે છે કે હાલમાં કોઈ પણ ટેસ્ટ કરવામાં આવ્યા નથી. ન્યૂયોર્ક હોસ્પિટલમાં મળેલી એપોઈન્ટમેન્ટના આધારે ગુરૂવાર(ચોથી ઓક્ટોબર)ના રોજ અનેક પ્રકારના ટેસ્ટ કરવામાં આવશે. કપૂર પરિવાર માટે આ ખરાબ સમય છે. હાલમાં તેમણે માતા(કૃષ્ણા રાજ કપૂર)ને ગુમાવ્યા છે. આ સમયે આવી અટકળો કરવી ખરાબ છે. પહેલી ઓક્ટોબરના રોજ કૃષ્ણા રાજ કપૂરનું નિધન કાર્ડિયાક એરેસ્ટથી નિધન થયું હતું અને ઋષિનો પરિવાર અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યો નહોતો. ઋષિની દિકરી રિદ્ઘિમા કપૂર સહાની અંતિમ સંસ્કારમાં આવી હતી. અમેરિકામાં ઋષિ કપૂરની સાથે નીતુ સિંહ તથા દિકરો રણબીર કપૂર છે.
ઋષિ કપૂરે ટ્વિટ કરીને આપી હતી તબિયતની માહિતીઃ
Hello all! I am taking a short leave of absence from work to go to America for some medical treatment. I urge my well wishers not to worry or unnecessarily speculate. It’s been 45 years “plus”of wear and tear at the movies. With your love and good wishes I will be back soon!
ઋષિ કપૂરે અમેરિકા જતા પહેલાં ટ્વિટર પર પોતાની તબિયતને લઈ માહિતી આપી હતી. ટ્વિટમાં લખ્યું હતું ''હેલ્લો એક બિમારીની સારવાર માટે અમેરિકા જઈ રહ્યો છું. શુભેચ્છકોને અપીલ કરું છું કે કારણ વગરના કોઇ અટકળો ના લગાવે. મને 45 વર્ષથી વધુ સમય અહીંયા કામ કરતાં કરતાં થઈ ગયો છે. તમાર પ્રેમ તથા દુઆથી જલ્દીથી પરત આવીશ.'' ઋષિ કપૂરે સ્પષ્ટતા નહોતી કરી કે તેમને કઈ બીમારી થઈ છે.