મુંબઇઃ બોલીવુડના જાણીતા અભિનેતા રાજપાલ યાદવની સામે ચાલી રહેલા 5 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં રાજપાલને દોષી જાહેર કરવામાં આવ્યા છે.
દિલ્હીની કડ્કડ્ડુંમા કોર્ટે રાજપાલ યાદવ તેની પત્ની તથા કંપનીને આ મામલે દોષી જાહેર કર્યાં છે. કોર્ટે આ ફેસલો વર્ષ 2010માં 5 કરોડ રૂપિયાની લોન ન ચૂકવી શકવાના કેસની સુનવણીમાં આપ્યો છે.
એક અહેવાલ મુજબ રાજપાલે પોતાની ફિલ્મ 'અતા પતા લાપતા' બનાવી હતી. જેના માટે તેણે દિલ્હીના એક વ્યાપારી પાસેથી રૂપિયા 5 કરોડની લોન લીધી હતી. ફિલ્મ રિલીઝ તો થઇ પરંતુ રાજપાલે વેપારીને રકમ પરત કરી ન હતી.
આ મામલે રાજપાલને અનેક વખત સમન્સ મોકલ્યા છતાં તેઓ કોર્ટમાં હાજર ન થયા તેમજ કોર્ટમાં ખોટું સોગનનામું રજુ કર્યું જેના કારણે કોર્ટ ઘણી નારાજ હતી. હવે આ મામલે સજાની જાહેરાત 22 એપ્રિલે કરવામાં આવશે.