બોલિવૂડના દિગ્ગજ કલાકાર ઈરફાન ખાનનું મુંબઈમાં નિધન થયું છે. હજુ એક સપ્તાહ પહેલાં જ તેની માતાનું જયપુરમાં નિધન થયું હતું. ઈરફાન ખાન ઘણા લાંબા સમયથી ગંભીર બિમારીથી પીડાતા હતા. ગઈકાલે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે આજે બપોરે તેને અંતિમ શ્વાસ લીધા હતા.
ઈરફાન ખાનનું 54 વર્ષની વયે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. બોલિવૂડમાં ખુબ સંઘર્ષ કરી એક અલગ અંદાજના અદાકાર રહી ચૂકેલા ઈરફાન ખાને પદ્મશ્રીનું પણ સન્માન મળ્યું હતું. ઈરફાનની છેલ્લી ફિલ્મ અંગ્રેજી મિડિયમ હતી. આ ફિલ્મના શુટીંગ વખતે પણ તે બિમારીથી પીડિતા રહ્યા હતા. ઘણી વખતે આ શૂટિંગ સમયે સારવાર પણ કરવી પડતી હતી. તેઓ ક્રિકેટના પણ ખુબ જ શોખીન હતા.
ઈરફાન ખાનના નિધન પર મહાનાયક અમિતાભ બચ્ચને પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શ્રદ્ધાંજલિ પાઠવી છે. ઈરફાન ખાનની તબિયત ગઈકાલે લથડતાં તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ખુબ ક્રિટીકલ હોવાથી ICUમાં દાખલ કરાયાં હતા. જો કે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મોત અંગે ડાયરેક્ટર શુજીત સરકારે જાણકારી આપી હતી. શુજીતે ટ્વિટ કરી કહ્યું કે મેરા પ્યારા દોસ્ત ઈરફાન, તુમ લડે ઔર લડે ઔર લડે. મુજે તુમ પર ગર્વ રહેગાં. હમ ફિર મિલેંગે.
My dear friend Irfaan. You fought and fought and fought. I will always be proud of you.. we shall meet again.. condolences to Sutapa and Babil.. you too fought, Sutapa you gave everything possible in this fight. Peace and Om shanti. Irfaan Khan salute.
નજીકના સૂત્રોને કહેવું છે કે ફિલ્મ અંગ્રેજી મીડિયમના શૂટિંગ દરમ્યાન ઈરફાન ખાનની એક કીમોથેરેપી કરાવવાની હતી પરંતુ શૂટિંગને કારણે તે ટ્રીટમેન્ટ સ્કિપ થઈ ગઈ હતી. આ કારણથી જ ફિલ્મના શૂટિંગ દરમ્યાન પણ ઘણી વખતે તકલીફ થતી હતી પરંતુ બહારથી કોઈ પરેશાની દેખાતી ન હતી. 2 મહિના પહેલા એટલે કે હોળી પહેલા તેમની તબિયત ફરીથી બગડી હતી અને બસ ત્યાર બાદ સતત તેમની તબિયત બગડતી રહી. હાલમાં જ 10 દિવસ પહેલા તેમની તકલીફ વધુ બગડી ત્યારે તેમને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. આ વખતે હોસ્પિટલમાં તેઓ બીમારીથી વધુ સંઘર્ષ કરી રહ્યાં હતાં.
PM મોદીએ ટ્વિટર પર દુઃખ વ્યક્ત કર્યુ
ઈરફાન ખાનના નિધન પર PM મોદીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ, કહ્યું તેમની ઍક્ટિંગ માટે હંમેશા યાદ રહેશે. તેમના પરિવાર, મિત્રો અને ચાહકોને મારી સાંત્વના.
Irrfan Khan’s demise is a loss to the world of cinema and theatre. He will be remembered for his versatile performances across different mediums. My thoughts are with his family, friends and admirers. May his soul rest in peace.
T 3516 - .. just getting news of the passing of Irfaan Khan .. this is a most disturbing and sad news .. 🙏
An incredible talent .. a gracious colleague .. a prolific contributor to the World of Cinema .. left us too soon .. creating a huge vacuum ..
Prayers and duas 🙏
ઉલ્લેખનીય છે કે 2018માં ઈરફાન ખાનને ન્યૂરોઈંડોક્રાઈન ટ્યૂમરનું નિદાન થયું હતું. લંડનમાં તેનો ઈલાજ ચાલી રહ્યો હતો. આ બાદ તેમની તબિયતમાં સુધાર થયા બાદ ભારત પરત આવ્યા હતાં.
અમિત શાહે પણ ટ્વિટર પર લખ્યુ
विख्यात अभिनेता इरफान खान के असामयिक निधन से गहरा दुःख हुआ।
वे दुर्लभ प्रतिभा-सम्पन्न कलाकार थे। उनकी विविध भूमिकाओं की छाप सदैव हमारे दिलों में अंकित रहेगी ।
उनका निधन, सिने-जगत व अनगिनत प्रशंसको के लिए अपूरणीय क्षति है।
उनके परिवार और प्रियजनों के प्रति मेरी शोक संवेदनाएं।
ઈરફાન ખાને ‘મકબૂલ’, ‘લાઈફ ઈન અ મેટ્રો’, ‘લંચ બોક્સ’, ‘પીકુ’, ‘તલવાર’, ‘હિંદી મીડિયમ’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. તેમને ‘હાસિલ’ (નેગેટિવ રોલ), ‘લાઈફ ઈન અ મેટ્રો’ (બેસ્ટ એક્ટર), ‘પાન સિંહ તોમર’ (બેસ્ટ એક્ટર ક્રિટિક) તથા ‘હિંદી મીડિયમ’ માટે ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. ‘પાન સિંહ તોમર’ માટે એક્ટરને નેશનલ અવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.