કોરોનાએ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. રોજ કોરોનાના કેસ વધી રહ્યાં છે. જેમાંથી હવે નેતાઓ અને બોલિવૂડ સેલેબ્સ પણ બચી શક્યા નથી. હાલમાં જ બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે. અર્જુને લખ્યું છે કે, ડોક્ટરની સલાહથી તે હાલ હોમ ક્વોરન્ટાઈન છે અને તેનામાં કોઈ જ લક્ષણો નથી.
બચ્ચન પરિવાર બાદ હવે અર્જુનન કપૂર કોરોના પોઝિટિવ આવ્યો
સોશિયલ મીડિયા પર એક્ટરે આપી જાણકારી
લક્ષણો ન હોવાથી હાલ હોમ ક્વોરન્ટાઈન છે અર્જુન
અર્જુને પોસ્ટમાં લખ્યું છે, આ મારી જવાબદારી છે કે હું તમને બધાંને જાણ કરું કે મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું ઠીકછું અને મારા શરીરમાં કોરોનાના લક્ષણો નથી. મેં ડોક્ટર્સ અને ઓથોરિટીઝની સલાહ પર પોતાને હોમ આઈસોલેટ કરી લીધો છે અને હું હોમ ક્વોરન્ટાઈનમાં રહીશ. તમારા બધાના સપોર્ટ માટે આભાર અને હું આવનારા દિવસોમાં મારા સ્વાસ્થ્યની જાણકારી આપતો રહીશ.
અર્જુને આ સમાચાર આપ્યા બાદ અનેક સેલેબ્સે તે જલ્દી સાજો થાય એવી પ્રાર્થના કરી રહ્યાં છે. સાથે જ તેની પોસ્ટ પર તેની પોસ્ટ પર જાન્હવી કપૂર, સિદ્ધાંત કપૂર, હર્ષવર્ધન કપૂર, મુકેશ છાબડા, આયશા શ્રોફ અને કૃતિ સેનને તેના સ્વાસ્થ્ય માટે કામના કરી છે.
તમને જણાવી દઈએ કે, થોડાં સમય પહેલાં જ અર્જુન કપૂરના પિતા બોની કપૂરનો સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જોકે, બોની કપૂર, તેમની બંને દીકરીઓનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. આ પહેલાં બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય અને તેની દીકરી આરાધ્યા કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. ત્યારે હાલમાં જ જેનેલિયા દેશમુખે પણ કોરોનાને હરાવ્યું છે.