અમિતાભ બચ્ચનના ફેન્સ માટે મોટી ખુશખબરી છે. અમિતાભનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમને રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ અંગે અભિષેક બચ્ચને એક ટ્વિટ કરીને આ માહિતી આપી છે. સાથે જ તેમણે ફેન્સનો આભાર માન્યો છે. જોકે અભિષેક બચ્ચનનો રિપોર્ટ હજુ પોઝિટિવ આવ્યો છે.
અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ
અમિતાભને હોસ્પિટલથી કરાયા ડિસ્ચાર્જ
અભિષેક બચ્ચનનો રિપોર્ટ હજુ પોઝિટિવ
11 જુલાઈથી મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ અમિતાભ બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એટલે કે બિગ બી હવે સાજા થઇ ચૂક્યા છે. બિગ બીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને તેઓ પોતાના ઘરે પહોંચી ગયા છે. અભિષેક બચ્ચનનો રિપોર્ટ પોઝિટિવ આવતા હજુ તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
અભિષેકે ટ્વિટ કરીને લખ્યું કે, મારા પિતાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. ત્યારબાદ તેમને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેઓ હવે ઘરે જ આરામ કરશે. આપ સૌનો આભાર.
🙏🏽 my father, thankfully, has tested negative on his latest Covid-19 test and has been discharged from the hospital. He will now be at home and rest. Thank you all for all your prayers and wishes for him. 🙏🏽
અન્ય એક ટ્વિટમાં અભિષેક બચ્ચને લખ્યું કે, કોમોર્બિડિટીને કારણે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને હું હજી પણ હોસ્પિટલમાં જ સારવાર લઇ રહ્યો છું. ફરી વખત તમારી શુભેચ્છા તથા પ્રાર્થના માટે આભાર. તમારો હંમેશાં ઋણી રહીશ.
I, Unfortunately due to some comorbidities remain Covid-19 positive and remain in hospital. Again, thank you all for your continued wishes and prayers for my family. Very humbled and indebted. 🙏🏽
I’ll beat this and come back healthier! Promise. 💪🏽