બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર એક ટીવી એડના કારણે મુશ્કેલીમાં પડ્યો છે. આ એડ કરવા માટે તેના વિરૂદ્ધ મુંબઈના વરલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અક્ષય કુમાર પર એવો આરોપ લગાવામાં આવ્યો છે કે તેણે આ એડમાં મરાઠાઓની ભાવનાને ઠેસ પોંહચાડી છે.
અક્ષય કુમાર મુશ્કેલીમાં
ડિટર્જન્ટની એડ કરી
મરાઠાઓની ભાવનાને ઠેસ પોંહચાડવાનો આરોપ
સોશ્યિલ મીડિયા પર #boycottnirma ટ્રેન્ડમાં
અક્ષયએ હાલમાં જ એક ડિટર્જન્ટની એડ કરી હતી જેમાં તેણે એક મરાઠા રાજાની ભૂમિકા ભજવી છે. એમાં એવું હતું કે રાજા યુદ્ધથી પાછા આવે છે અને સેના તેમનો સ્વાગત કરે છે, પણ જ્યારે રાજાની પત્ની કપડા ગંદા હોવાની ફરિયાદ કરે છે તે પછી રાજા અને સેના તેઓના કપડાં ધોતા બતાવ્યા છે, જેમાં અક્ષય કુમારને નાચતા-નાચતા કપડાં ધોતા બતાવ્યા છે.
જ્યાં એક બાજુ સોશ્યિલ મીડિયા પર #boycottnirma ટ્રેન્ડ કરે છે બીજી બાજુ હજી સુધી આ બાબતે અક્ષય કુમારના કોઈ રિએકશન નથી આવ્યા