એજાઝ ખાન સતત સોશ્યલ મીડિયા પર પોતાના વિચારો વ્યકત કરે છે. અક્ષય કુમારની નાગરિકતા વિવાદને લઇને તેણે ટ્વીટ કર્યુ છે. એજાઝ ખાને આ વિવાદને સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાનની સાથે જોડતા પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યુ છે કે, ''ભગવાન ના કરે, ત્રણેય ખાનમાંથી કોઇનો પાસપોર્ટ કેનેડા કે બીજા દેશનો હોત તો, અત્યાર સુધી તેમને દેશદ્રોહી સાબિત કરી દેવામાં આવ્યા હોત.''
खुदा ना खास्ता तीनों खान में से किसी का पासपोर्ट कनाडा वगैरह का रहता, अब तक तो वह देशद्रोही करार दिया गया होता... #SundayThoughts
એજાઝ ખાનના આ ટ્વિટ પર સતત લોકો પોતાના પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, અક્ષય કુમારની નાગરિકતાના વિવાદ પીએમ મોદીના ગેર રાજનીતિક ઇન્ટરવ્યૂ પછી વધ્યો છે. લોકો આરોપ લગાવી રહ્યા છે કે, ''જે વ્યકિત દેશનો નાગરિક જ નથી, જે પોતાના દેશના પ્રતિનિધિઓની પસંદગી નથી કરી શકતો તેણે પીએમ મોદીએ ઇન્ટરવ્યૂ કેમ આપ્યો.''
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અક્ષય કુમારે એક ટ્વીટ કર્યુ હતુ જેમાં તેણે પોતાની નાગરિકતાને લઇને થઇ રહેલા સવાલોનો ઉલ્લેખ કર્યો હતો. અક્ષયે ટ્વિટ કરતા લખ્યુ કે, મને ખબર નથી પડતી કે મારી નાગરિકતાને લઈ આટલો નકારાત્મક માહોલ કેમ બનાવવામાં આવ્યો છે? મેં આ વાત ક્યારેય છુપાવી નથી અને ક્યારેય આ વાતનો ઈનકાર કર્યો નથી કે મારી પાસે કેનેડિયન પાસપોર્ટ છે. એ વાત પણ એટલી જ સાચી છે કે હું છેલ્લાં સાત વર્ષમાં એકવાર કેનેડા ગયો થી. હું ભારતમાં જ કામ કરું છું અને ભારતમાં જ ટેક્સ ભરું છું.''
વધુમાં અક્ષય કુમારે લખ્યું હતું, ''જ્યાં આટલા વર્ષોથી મારે ભારત પ્રત્યે પ્રેમ હોવાની વાત સાબિત કરવાની જરૂર પડી નથી ત્યાં હું એ વાતથી નિરાશ છું કે મારી નાગરિકતાને મુદ્દો બનાવીને કારણ વગર વિવાદ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જે પૂરી રીતે એક પર્સનલ, લિગલ, નોન-પોલિટિકલ બાબત છે. જે કોઈના માટે પણ મહત્ત્તવની નથી. અંતે હું એટલું જ કહીશ કે હું એ તમામ મુદ્દા પર મારી રીતે કામ કરતો રહીશ, જે મારા દિલની નિકટ છે. ભારતને વધુ સારું અને સ્ટ્રોંગ બનાવવા માટે મારી રીતે નાનકડું યોગદાન આપતો રહીશ.''
ઉલ્લેખનીય છે કે, એજાઝ ખાન બોલિવુડની ફિલ્મોથી લઇને બિગ બૉસમાં જોવા મળ્યો છે અને સતત સામાજિક મુદ્દાઓ પોતાના વિચારો રજૂ કરે છે. એજાઝ ખાને રક્ત 'ચરિત્ર અને અલ્લાહ કે બંદે' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. આ સિવાય 'તે રહે તેરા આશીર્વાદ' અને 'કહાની અમારે મહાભારત કી' સીરિયલમાં પણ જોવા મળી ચૂક્યો છે. એજાધ ખાન 'બિગ બૉસ 7'ની વાઇલ્ડ કાર્ટ એન્ટ્રીમાં આવ્યો હતો અને દર્શકોના દિલ પણ જીતી લીધા હતા.