BIG BREAKING: બિહારનાં મુઝફ્ફરપૂરમાં કુરકુરે-નૂડલ્સની ફેક્ટરીમાં બોયલરમાં બ્લાસ્ટ, 10 લોકોના કરૂણ મોત, અનેક ઈજાગ્રસ્ત
બિહારમાં થઈ મોટી દુર્ઘટના
બોયલરમાં બ્લાસ્ટ થવાથી અનેક લોકોના મોત
SP-DM સહિત તંત્રના મોટા અધિકારીઓ પહોંચ્યા
10 લોકોના મોત થયા હોવાના સ્થાનિક મીડિયા અહેવાલ
રવિવારે બિહારના મુઝફ્ફરપુરમાં એક મોટો અકસ્માત થયો છે, બેલા ઔદ્યોગિક વિસ્તારમાં મોદી કુરકુરે અને નૂડલ્સ ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું જે બાદ 10થી વધુ લોકોના કરૂણ મોત થયા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. નજીકની ફેક્ટરીઓના લોકોને ઈજા થઈ હોવાના પણ અહેવાલ છે. એસપી-ડીએમ સહિત ઘણા ટોચના અધિકારીઓ સ્થળ પર પર પહોંચ્યા છે અને આશંકા છે કે મૃત્યુ આંક વધી શકે છે.
કેટલાય કિમી સુધી ભૂકંપ જેવા આંચકા આવ્યા
વિસ્ફોટના કારણે આસપાસની ધરતી પણ ધ્રૂજી ઉઠી હતી. જેના કારણે અહીંના લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. કેટલાક લોકો ઘરની બહાર પણ નીકળી ગયા હતા. જોકે, બાદમાં જાણવા મળ્યું હતું કે બોઈલર ફાટવાને કારણે ધરતી હચમચી ગઈ હતી.
નોંધનીય છે કે જે સમયે દુર્ઘટના થઈ તે બાદ પણ અનેક લોકો અંદર ફસાયા હોવાની જાણકારી સામે આવી હતી અને રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓ તાત્કાલિક ત્યાં પહોંચીને આસપાસનાં લોકોને દૂર કરવાનું કામ શરૂ કર્યું હતું. લોકોએ કહ્યું કે ધમાકો એવો ભયંકર હતો કે દરવાજા અને બારીઓ પણ હલી ગઈ હતી. ઘણા બધા લોકો પોતાના પરિજનોની ચિંતાનાં કારણે ફેક્ટરીની આસપાસ પહોંચી ગયા હતા.
Bihar | At least five people suffered injuries as a boiler exploded in a noodle factory in Muzaffarpur, says SSP Jayant Kant