લોકસભાની ચૂંટણીને લઈને આજે આણંદ લોકસભાના ધર્મજ બૂથ-8 પર ફેરમતદાન કરવામાં આવશે. જેમાં સોજિત્રા વિધાનસભામાં સમાવિષ્ટ ધર્મજ 8 પર મતદાન થશે. મહત્વનું છે કે,બોગસ મતદાન થયાની ફરિયાદને લઈને ફરી મતદાન કરવા માટે આદેશ અપાયો હતો.
બૂથ પર વિડીયોગ્રાફીને ધ્યાને લઈને કલેક્ટરે નિર્ણય કર્યો હતો. વિડીયોગ્રાફીમાં એકની એક વ્યક્તિએ વારંવાર મતદાન કર્યુ હોવાનું ખુલ્યુ હતુ. .જેને લઈને ચૂંટણી અધિકારી દિલીપ રાણાએ મુખ્યચૂંટણીપંચને રજૂઆત કરી હતી.
આથી રાજ્ય મુખ્યચૂંટણી અધિકારીએ ફેરમતદાનની મંજૂરી આપી હતી. આમ, 23મીએ થયેલી બૂથ પરની ગેરરિતીને લઈ મતદાન રદ કરવામાં આવ્યુ હતુ. આ સાથે જ આવતીકાલે લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાશે.
આ મતદાન દિલ્હી સહિત 7 રાજ્યોની 59 બેઠકો માટે યોજાવાનું છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીની 7, બિહારની 8, હરિયાણાની 10 બેઠક પર તથા ઝારખંડની 4, મધ્યપ્રદેશની 8 બેઠક પર મતદાન યોજાશે.