રાજકોટમાં એક્સપાયરી આયુર્વેદિક દવાનો મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. શ્રમજીવી સોસાયટીમાંથી ઝડપાયી એક્સપાયરી આયુર્વેદિક દવાઓ ઝડપાઇ હતી. ત્યારે ઓશો હોસ્પિટલના સંચાલક અને તેની પત્ની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સંચાલક પરેશ પટેલ, પત્ની મીનલ પટેલ અને પ્રિન્સ દઢાણીયા સામે ગુનો નોંધાયો છે.
વ્રજરાજ ઓર્ગેનિકના માલિક ઉપેન્દ્ર નથવાણીની ફરિયાદના આધારે કાર્યવાહી કરી છે. પોલીસે કુલ 21.25 લાખની દવાઓનો જથ્થો કબજે કર્યો છે. અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી પોલીસે કાર્યવાહી કરી છે. આરોપી પરેશ પટેલ માત્ર ધોરણ 7 પાસ છે. અને તેણે ગેઝેટમાં સુધારો કરી અને પોતાના નામ આગળ ડોક્ટર લગાવી દીધું હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સંચાલક અને તેની પત્ની સામે ગુનો નોંધાયો
સમગ્ર મામલે પોલીસે જણાવ્યું છે કે રાજકોટમાં એક્સપાયરી આયુર્વેદિક દવાનો મામલે ઓશો હોસ્પિટલના સંચાલક અને તેની પત્ની સામે ગુનો દાખલ કરાયો છે, સંચાલક પરેશ પટેલ, પત્ની મીનલ પટેલ અને પ્રિન્સ દઢાણીયા સામે ગુનો નોંધાયો છે. વ્રજરાજ ઓર્ગેનિકના માલિક ઉપેન્દ્ર નથવાણીની ફરિયાદના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આરોપી પરેશ પટેલ માત્ર ધોરણ 7 પાસ છેઃ પોલીસ
વધુમાં પોલીસે જણાવ્યું કે શ્રમજીવી સોસાયટીમાંથી એક્સપાયરી આયુર્વેદિક દવાઓ ઝડપાઇ હતી આરોપીઓએ 2019ની દવાઓનું લેબલ બદલી દવાઓનું લિક્વીડ બનાવી આયુર્વેદિક દવાના નામે કરવામાં આવતું હતું. પોલીસે આરોપીઓ અંગે માહિતી આપતા જણાવ્યું કે આરોપી પરેશ પટેલ માત્ર ધોરણ 7 પાસ છે અને આરોપીએ પોતાના નામમાં સુધારો કરી ડોક્ટર પરેશ પટેલ કરાવ્યું હતું નામમાં ડોક્ટર કેવી રીતે કરાવ્યું તેને લઇને પણ તપાસ ચાલું છે મહત્વનું છે કે પોલીસે ઓશો હોસ્પિટલમાંથી 1.58 લાખની દવા કરી કબ્જે છે.
શું છે રાજકોટનું દવા કૌભાંડ ?
ગઈ કાલે પહેલા SOG એક્સપાયરી દવાના વેચાણના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં અંદાજે 1 કરોડની એક્સપાયરી ડેટની દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો SOGએ પરેશ પટેલ નામના શખ્સના ગોડાઉનમાં પાડ્યા દરોડા હતા તેમજ ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા દવાના નમૂના લેવાયામાં આવ્યા હતા. ત્યાર બાદ SOG દ્વારા પરેશ પટેલની અન્ય ત્રણ દુકાનોમાં પણ તપાસ હાથ ધરતા એક્સપાયરી થયેલી એલોપેથી દવાઓનું વેચાણ કરાતું હોવાનું સામે આવ્યું હતું.
એક્સપાયરી થયેલી એલોપેથી દવાઓનું કરાતું હતું વેચાણ
આ દવાઓનું લિક્વીડ બનાવી આયુર્વેદિક દવાના નામે કરવામાં આવતું હોવાનો પર્દાફાશ થયા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. પરેશ પટેલ પાસે ડૉક્ટરની ડિગ્રી ન હોવા છતા એફિડેવિટ કરી નામ આગળ ડોક્ટર લગાડ્યાનું બહાર આવ્યું છે, તેમજ પત્નીના નામે આયુર્વેદિક દવાખાનું શરૂ કરાયું હોવાનું પણ ખુલ્યું છે. આ દવાખાનામાં પગારદાર તરીકે આયુર્વેદિક ડોક્ટર રાખ્યો હતો. આ સમગ્ર કૌભાંડ સામે આવતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.