શ્રીનગર: જમ્મૂ-કશ્મીરના પુલવામાના ત્રાલમાં આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે ચાલી રહેલા ઓપરેશનમાં સેનાના જવાનોએ 3 આતંકીને ઠાર માર્યા છે. આતંકીઓ એક મકાનમાં છૂપાયા હતા અને ત્યાંથી ફાયરિંગ કરી રહ્યા હતા. જોકે સેનાના જવાનોએ મોર્ટાર છોડીની ઘરને બોંબથી ઉડાવી દીધું. સેનાના જવાનો અને પોલીસ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હાલ જવાનો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
ઉલ્લેખનીય છે કે એક તરફ જમ્મુ કશ્મીરમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે ત્યારે સેનાએ પણ આતંકીઓ સામે એન્કાઉન્ટરની શરૂઆત કરી હતી. ગતરોજથી ચાલતા આ એન્કાઉન્ટરમાં સેનાએ 3 આતંકીઓને ઠાર કર્યાં હોવાનું સામે આવેલ છે. સેના અને આતંકી વચ્ચે જામેલ આ મુઠભેડમાં સેનાના એક જવાન પણ ઘાયલ થયો છે.
Body of third terrorist recovered in Pulwama's Tral. Three terrorists have been killed & one CRPF personnel injured in an exchange of fire between terrorists & security forces in the area. #JammuAndKashmirpic.twitter.com/SiM2MC48Za
જોકે સેનાએ ચાર આતંકીઓની ઘેરી લઇને ઓપરેશન ચાલુ કરતા 3 આતંકીઓને ઠાર કર્યા હતા. મહત્વનું છે કે કશ્મીરમાં રમજાન મહિના દરમિયાન સેનાએ ઓપરેશન પર રોક લગાવી હતી પરંતુ રમજાન મહિનો પુરો થતાની સાથે જ સેના ફરીથી સક્રિય બની છે. ભારત સરકારના ગૃહમંત્રી રાજનાથસિંહે 2 દિવસ આગાઉ આતંકી ઘટના મામલે એક ચીમકી ઉચ્ચારતા જણાવેલ કે રમજામ પૂર્ણ થયા બાદ સેના દ્વારા આતંકવાદીઓ સામે પગલા લેવામાં આવશે.
આપને જણાવી દઇએ કે ગતરોજ ભારતના ખાસ ગણાતા જમ્મુ કશ્મીરમાં ભાજપ અને પીડીપી વચ્ચે રહેલ ગઠબંધન તૂટતા રાજકારણમાં ભૂકંપ સર્જાયો હતો અને મહેબૂબા મુફ્તી સરકાર પડી હતી. આ ઘટનાના કલાકો બાદ જ ભારતીય સેનાએ આતંકીઓ સામે લાલ આંખ કરીને ઓપરેશન હાથ ધર્યું હતું અને 3 આતંકીઓને ઠાર કરતા ભારતે રમઝાન બાદ તરત જ ફરી પોતાની તાકાત બતાવીને આતંકવાદીઓને ઠાર માર્યા હતા.