સહાનાના પરિવારના સભ્યો સહાનાના પતિ સજ્જાદ પર હત્યાનો આરોપ લગાવી રહ્યા છે, જ્યારે સજ્જાદનું કહેવું છે કે સહાનાએ આત્મહત્યા કરી છે.
સહાના એક મલયાલી મોડલ હતી
સહાનાએ અનેક જ્વેલરી એડમાં કામ કર્યું હતું
સજ્જાદ પહેલા કતારમાં કામ કરતો હતો અને ભારતમાં બેરોજગાર હતો
પતિ પર હત્યાનો આરોપ
મલયાલી મોડલ સહાનાએ 12 મે, 2022ના રોજ પોતાનો 21મો જન્મદિવસ ઉજવ્યો હતો. પરંતુ કોણ જાણતું હતું કે આ જન્મદિવસ તેનો છેલ્લો દિવસ હશે. 13 મેના રોજ બપોરે 1 વાગ્યે તેમના પરિવારને સહાનાના મોતની ખબર પડી. સહાનાની માતાએ સજ્જાદ પર આરોપ લગાવતા કહ્યું કે સહાના ક્યારેય આત્મહત્યા કરવાનો પ્રયાસ ન કરે . સજ્જાદ અને તેનો પરિવાર સહાનાને પરેશાન કરતો હતો. સહાનાની માતાએ તેને અલગ રહેવાની સલાહ આપી હતી પરંતુ અલગ રહેવા છતાં તે પૈસા માટે સહાનાને હેરાન કરતા હતા. સહાનાની માતાએ જણાવ્યું કે, સજાદે જ તેની પુત્રીની હત્યા કરી હતી.
પરિવારને મળવા માગતી હતી સહાના
સહાનાની માતાના જણાવ્યા અનુસાર સહાના તેના જન્મદિવસે પરિવારના સભ્યોને મળવા માંગતી હતી, પરંતુ સજાદે તેના પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સહાનાએ અનેક જ્વેલરી એડમાં કામ કર્યું હતું અને દોઢ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. એક અઠવાડિયા પહેલા સહાનાની માતાની સલાહથી બંને પોતાના પરિવારથી અલગ થઈને ભાડાના મકાનમાં શિફ્ટ થઈ ગયા હતા. પાડોશીઓના જણાવ્યા અનુસાર, સજાદની બૂમો પાડવાનો અવાજ આવ્યો હતો અને જ્યારે તેઓ જોવા ગયા, ત્યારે તેણે જોયું કે સહાના કોઈ પણ વસ્તુ પર પ્રતિક્રિયા આપી રહી નથી. પડોશીઓની સુચનથી સજાદે પોલીસને જાણ કરી હતી.
ઝગડા પછી મળી મૃત હાલતમાં
તમને જણાવી દઈએ કે સજ્જાદ પહેલા કતારમાં કામ કરતો હતો અને ભારતમાં બેરોજગાર હતો. ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા અહેવાલ મુજબ સજ્જાદ સહાનાના જન્મદિવસે મોડેથી ઘરે આવ્યો હતો, જેને લઈને બંને વચ્ચે વિવાદ થયો હતો. બોલાચાલી બાદ સજ્જાદે સહાનાને બાથરૂમમાં મૃત હાલતમાં જોઇ હતી. બાથરૂમમાંથી પ્લાસ્ટિકનું દોરડું પણ મળી આવ્યું છે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ આત્મહત્યાનો મામલો છે કે હત્યાનો.