ઘણીવાર એવું બને છે કે તમે સતત કામમાં હોવ ત્યારે તમે પાણી પીવાનું ભૂલી જાવ છો અને સાથે ચા કે કોફીનું સેવન વધારે પ્રમાણમાં કરી લો છો. આ સિવાય ક્યારેક વાતાવરણ ઠંડું હોય ત્યારે પણ તમે ઓછું પાણી પીઓ એ શક્ય છે. સવારે ઊઠીને દિવસની શરૂઆત પાણી પીવાથી કરો. જ્યારે શરીરમાં પાણી ઘટે છે ત્યારે તે કેટલાક સંકેત આપે છે. તેને સમજી લેવાથી હેલ્થ સારી રહે છે.
રોજ અચૂક પીઓ 7-8 ગ્લાસ પાણી
પાણીની ઊણપના કારણે પણ અનુભવાય છે થાક
શરીરમાં પાણીની ઊણપ સર્જાતા અનુભવાય છે આ સંકેત
સવારે ઊઠતાં જ પીઓ 1 ગ્લાસ પાણી
દિવસભરમાં 7-8 ગ્લાસ પાણી અચૂક પીવું જોઈએ. તે સ્વાસ્થ્ય માટે ખુબ સારું છે. તરસ ન લાગે ત્યારે પણ પાણી પીવું જોઈએ. તરસ લાગે ત્યારે પાણી પીવાથી શરીરને પૂરતું પાણી મળતું નથી અને શરીર આ પ્રકારના સંકેત આપવા લાગે છે. જાણી લો કયા સંકેત મળતાંની સાથે જ પાણી પીવાનું શરૂ કરી દેવું જોઈએ. જેથી ગંભીર બિમારીઓથી બચી શકાય.
મૂડ સ્વિંગ
પાણીની ખામીથી ડીહાઇડ્રેશન થાય છે. જેના કારણે મૂડ સ્વિંગની સમસ્યા થાય છે. પાણી કોન્સન્ટ્રેશન લેવલ એટલે કે એકગ્રેતાના સ્તરને પણ પ્રભાવિત કરે છે. જો તમે વાંચવા કે કોઈ બીજું કામ કરતા સમયે મૂડ સ્વિંગ, કે પછી ઓછી એનર્જી જેવું કંઈક અનુભવ કરી રહ્યા હોવ, તો આ સંકેત છે કે તમારે હવે પાણી પીવું જોઈએ.
થાક લાગવો
થાક લાગવો એ પાણી પીવાનો સંકેત છે, જે શરીર તમને આપે છે. શરીરમાં પાણીની કમીના કારણે શરીરમાં સુસ્તીનો અનુભવ થવા લાગે છે. આનાથી તમે હંમેશા થાકેલા હોય તેવું લાગે છે.
ડ્રાય સ્કિન
આપણને સોફ્ટ અને સ્મૂધ સ્કિન મેળવવા માટે હંમેશા વધારે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જો ડ્રાય વેધર ન હોવા છતાં પણ તમારી સ્કિન અને હોઠ ફાટી રહ્યા છે. તો આનો અર્થ છે કે તમારા શરીરમાં પાણીની ખામી છે. તમે તરત જ પાણી પીવાનું શરૂ કરો. બે દિવસમાં જ ફરક અનુભવાશે.
પેશાબ પીળો આવવો
શરીરમાં પાણીની ખામીનો આ એક સામાન્ય સંકેત છે. જેમાં શરીરમાં પાણીની ઊણપના કારણે પેશાબ ઘટ્ટ પીળા રંગનો થઇ જાય છે. એવામાં દિવસમાં ઓછામાં ઓછું બે વાર પેશાબનો કલર જરૂર ચેક કરવો. જો પેશાબ હલકો પીળો છે તો કોઈ સમસ્યા નથી પણ જો આનો રંગ ઘાટો પીળો છે તો તમારે વધારે પાણી પીવું જોઈએ. આ સિવાય જો તમને પેશાબમાં બળતરા અનુભવાય તો પણ તમારે વધારે પાણી પીવાની જરૂર છે.
ઘબકારા વધવા કે ગભરામણ થવી
જો તમારા ઘબકારા વધવા લાગે છે, તો આ પણ શરીરમાં પાણીની ખામી હોઈ શકે છે. આના સિવાય ચક્કર આવવા, ઓછી ઊંઘ અને ગભરામણ થવી પણ શરીરમાં પાણીની ખામીનો સંકેત આપે છે.
શ્વાસમાં દુર્ગંધ
આ બધા સિવાય શરીરમાં પાણી ઓછું હોવાને કારણે પર્યાપ્ત માત્રામાં થૂંક અને લાળ તૈયાર થતા નથી. જેના કારણે મોંઢામાં બેક્ટિરિયા બને છે. જેથી શ્વાસ અને મોંઢામાંથી દુર્ગંધ આવવાની સમસ્યા પણ રહે છે.