અમદાવાદના રબારી કોલોની વિસ્તારમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસ દ્વારા આ મૃતદેહની તપાસ કરતા યુવકનું નામ મહેશ દંતાણી હોવાનું બહાર આવ્યું છે.
જોકે આ યુવકની હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસ દ્વારા આ યુવકની હત્યાને લઇન વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં રબારી કોલોનીના ગેટ નંબર 1 પાસેથી એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરી હતી.
પોલીસ દ્વારા તપાસ હાથ ધરતાં આ યુવક રબારી કોલોનીનો રહેવાસી અને તેનું નામ મહેશ દંતાણી હોવાનું જાણવા મળ્યું છે. જો કે પરિવારનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે મહેશ ગત રાત્રે 9 વાગ્યાથી ઘરેથી નીકળી ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે મૃતકની ગળુ દબાવી હત્યા કરવામાં આવી હોય. જો કે આ સમગ્ર મામલે ખુલાસો આરોપીઓની ધરપકડ થયા બાદ સામે આવશે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.