શ્રદ્ધા હત્યા કેસમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે છેલ્લા બે વર્ષથી તેઓ વચ્ચે બધુ બરાર ચાલી રહ્યું ન હતું. ત્યારે પોલીસે હવે કેસને મજબૂત કરવા હજુ વધુ પુરાવા શોધી રહી છે.
શ્રદ્ધા હત્યા કેસમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે
બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતાઃ જયશ્રી પાટકરે
પતિ-પત્નિની ઓળખાણ આપી ભાડા કરાર કર્યોઃજયશ્રી પાટકરે
વર્ષ 2020માં આફતાબે શ્રદ્ધાને માર માર્યો હતો. આની એક તસવીર સામે આવી છે. હવે વોટ્સએપ ચેટ પણ મળી છે. જેમાં શ્રદ્ધાએ તેની ટીમ લીડરને મારપીટ અંગે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે માર મારવાના કારણે તેનું શરીર દુખે છે.
છેલ્લા બે વર્ષથી શ્રદ્ધા અને આફતાબના સંબંધોમાં બધુ બરાબર ચાલી રહ્યું ન હતું. તેના પુરાવા સતત સામે આવી રહ્યા છે. હવે એક વોટ્સએપ ચેટ સામે આવી છે, જેમાં શ્રદ્ધાએ તેની ટીમ લીડરને કહ્યું છે કે આફતાબે તેને માર માર્યો હતો. આ પહેલા શ્રદ્ધાની એક તસવીર પણ સામે આવી હતી, જેમાં તેના ચહેરા પર ઈજાના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.
હવે જે ચેટ સામે આવી છે, તેમાં શ્રદ્ધા તેના પૂર્વ ટીમ લીડર કરણ ભક્કી સાથે વાત કરી રહી છે. આ ચેટ 24 નવેમ્બર 2020ની છે. આમાં તે પોતાની ખરાબ તબિયત વિશે જણાવી રહી છે. આ એ જ સમય હતો જ્યારે આફતાબે તેને માર માર્યો હતો. શ્રદ્ધા આગળ લખે છે કે મારા કારણે જે પરેશાની થઈ રહી છે અને કામ ગુમાવવા બદલ હું માફી માંગુ છું.
વોટ્સએપ ચેટ જેને શ્રદ્ધા અને તેની ટીમ લીડર વચ્ચેની વાતચીત તરીકે વર્ણવવામાં આવી રહી છે. તેમાં શ્રદ્ધા કહે છે કે હવે તે (આફતાબ) ઘરે ગયા પછી બધું બરાબર છે. હવે તે (આફતાબ) બહાર જઈ રહ્યો છે.
શ્રદ્ધા આગળ લખે છે, 'હું આજે કામ કરી શકીશ નહીં કારણ કે ગઈ કાલની લડાઈને કારણે મારું બીપી કદાચ ઘટી ગયું છે અને મારું શરીર દુખે છે. પથારીમાંથી ઊઠવાની શક્તિ બાકી નથી.
Shraddha murder case: Aftab accompanied Shraddha to hospital, says Mumbai doctor who treated her
23 નવેમ્બરની ચેટમાં ઉઝરડા સાથેનો ફોટો જોવા મળ્યો
આ પહેલા શ્રદ્ધાની વધુ એક ચેટ અને ફોટો સામે આવ્યો હતો. આ ચેટ શ્રદ્ધા અને મુંબઈમાં તેના મિત્રો વચ્ચે છે. આ ચેટ 23 નવેમ્બર 2020ના રોજ થઈ હતી, જ્યારે આફતાબે શ્રદ્ધા પર હુમલો કર્યો હતો. આ ચેટમાં શ્રદ્ધાનો મિત્ર તેની હાલત વિશે પૂછી રહ્યો છે અને શું તે આફતાબ સાથે તેના ઘરમાં સુરક્ષિત છે કે નહીં. આ સાથે શ્રદ્ધાએ તેના ચહેરા પર થયેલી ઈજાનો ફોટો પણ તેના મિત્રોને વોટ્સએપ કર્યો છે. આ ચેટમાં મહિલા મંડળમાં પણ ફરિયાદ કરવાની ચર્ચાઈ થઈ રહી છે.
પતિ-પત્નિ તરીકે ઓળખાણ આપી હતી
તપાસ દરમ્યાન સામે આવ્યું છે કે મુંબઈમાં ફલેટ લેતી વખતે આફતાબ અને શ્રધ્ધાએ એકબીજાને પતિ-પત્નિ તરીકે ઓળખાણ આપીને ભાડાનો એગ્રીમેન્ટ કર્યો હતો. ફ્લેટ માલીક જયશ્રી પાટકરે આ વાત જણાવી છે. એમણે એ પણ કહ્યું કે બંને વચ્ચે ખૂબ જ ઝઘડા થતા હતા તેમજ ઘણી વખત તો બંને ફ્લેટની નીચે પણ લડતા હતા. ત્યારે આફતાબ અને શ્રધ્ધાની લડાઈની તમામ લોકોને જાણ હતી.
પોલીસ હજુ પણ વધુ પુવારા શોધી રહી છે
આફતાબ દ્વારા લાશને કાપવા માટે જે છરીનો ઉપયોગ કર્યો તે, મારતી વખતે શ્રધ્ધાએ પહેરેલા કપડા, ઘરમાં રહેલ લાશના ટુકડા તેમજ લોહિના નિશાન, શ્રધ્ધાનો મોબાઈલ ફોન, 18 મે થી 5 જૂન સુધીનાં રાતના 2 વાગ્યાથી લઈ 6 વાગ્યા સુધીનું આફતાબનું મોબાઈલ લોકેશન આ તમામ પુરાવાઓ મળી જાય તો સમજી લો કે કેસ એકદમ કાચ જેવો સાફ થઈ જશે અને જો ન મળ્યું તો મુશ્કેલી વધી જશે.