બોડો શાંતિ સમજૂતી બાદ પહેલીવાર આસામ પહોંચેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક નેતાઓ તેમને ડંડા મારવાની વાત કરે છે પરંતુ હું દેશની માતા-બહેનોના આશીર્વાદથી બચી જઇશ. તેમણે કહ્યું કે આટલી મોટી સંખ્યામાં માતા-બહેનોની સુરક્ષા ધરાવતા મોદીને કોઈ ડંડો મારી શકે નહીં.
આસામમાં પ્રધાનમંત્રી મોદીની રેલી
કોંગ્રેસ અને રાહુલ ગાંધીને લીધા આડે હાથ
આસામના વિકાસની કરી વાત
કોકરાઝારમાં જનસભાને સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજે જે ઉત્સાહ, ઉમંગ જે આપના ચહેરા પર હું જોઇ રહ્યો છું, તે અહીંના આરોનાઇ અને ડોખોનાના રંગારંગ માહોલથી પણ વધુ સંતોષ આપનારો છે. આઝાદી બાદ આ સૌથી મોટી રાજકીય રેલી છે. મેં મારી રાજકીય કારકિર્દીમાં ક્યારેય આવી રેલી જોઇ નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આજના દિવસે તે હજારો સૈનિકોને યાદ કરવાના છે, જેમણે પોતાના દેશ માટે બલિદાન આપી દીધું. આસમમાં હવે કોઇ હિંસા નહીં થાય.
નોર્થ-ઇસ્ટ માટે નવી સદીની શરૂઆત
પ્રધાનમંત્રીએ કહ્યું, 'આજે આસામ સહિતના તમામ નોર્થ-ઇસ્ટમાં 21 મી સદીમાં નવી શરૂઆત, નવી સવાર, નવી પ્રેરણાને આવકારવાનો દિવસ છે. હવે આસામના ઘણા સાથીઓએ શાંતિ અને અહિંસાના માર્ગને સ્વીકારીની સાથે જ લોકશાહીનો સ્વીકાર કર્યો અને ભારતનું બંધારણ સ્વીકાર્યું. હું બોડો ભૂમિ ચળવળમાં ભાગ લેનારા તમામ લોકોને રાષ્ટ્રની મુખ્ય ધારામાં જોડાવા માટે આવકારું છું. પાંચ દાયકા પછી, સંપૂર્ણ સંવાદિતા સાથે, બોડો જમીન આંદોલન સાથે સંકળાયેલા દરેક ભાગીદારની અપેક્ષાઓ અને આકાંક્ષાઓનું સન્માન કરવામાં આવ્યું છે.
માત્ર વિકાસ પર કરવામાં આવશે ફોકસ
Modi Govt has brought peace to the Northeast by ending the long-pending Bodo and Bru-Reang crises.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, હવે કેન્દ્ર સરકાર, આસામ સરકાર અને બોડો આંદોલન સાથે જોડાયેલા સંગઠનો જે ઐતિહાસિક અકોર્ડર પર સહમતિ વ્યક્ત કરી છે. જેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ત્યારબાદ હવે કોઇ માંગણી બચી નથી અને વિકાસ જ પ્રથમ અને અંતિમ પ્રાથમિકતા રહેશે.
કમિશનની કરવામાં આવશે રચના
પ્રધાનમંત્રી મોદીએ વધુમાં જણાવ્યું કે, 'એકોર્ડ હેઠળ, BTAD ની અંદર આવતા વિસ્તારની સીમા નક્કી કરવા માટે એક કમિશન પણ બનાવવામાં આવશે. આ ક્ષેત્રને રૂ .1500 કરોડનું વિશેષ વિકાસ પેકેજ મળશે, જેનો લાભ કોકરાઝાર, ચિરંગ, બકસા અને ઉદાલગુડી જેવા વિશાળ જિલ્લાઓને મળશે. આસામ એકોર્ડની કલમ 6 ને વહેલી તકે અમલમાં મૂકવાનો સરકારનો પ્રયાસ છે. હું આસામના લોકોને ખાતરી આપું છું કે આ મામલે સંબંધિત કમિટીના અહેવાલ બાદ કેન્દ્ર સરકાર આગળની કાર્યવાહી કરશે.