નેપાળમાં ક્રેશ થયેલું તારા એરલાઈન્સના પ્લેનનો કાટમાળ મળી આવ્યો છે. જેની તસ્વીર પણ સામે આવી છે.
નેપાળ એરલાઈન્સનું વિમાન રવિવારે ક્રેશ થયું હતું
આ વિમાનમાં કુલ 22 લોકો સવાર હતા
જેમાંથી 16 લોકોના મૃતદેહ મળી આવ્યા છે
નેપાળમાં ક્રેશ થયેલું તારા એરલાઈન્સના પ્લેનનો કાટમાળ મળી આવ્યો છે. જેની તસ્વીર પણ સામે આવી છે. પ્લેનનો કાળમાળ મુસ્તાંગ વિસ્તારના કોબનમાંથી મળી આવ્યો છે. પહાડ પર અહીં તહીં વિમાનના ચીંથરા પડ્યા છે. સ્થાનિક લોકો સાથે મળીને સેનાઓ મદદ કરી હતી. મોટા ભાગની ડેડબોડીની ઓળખાણ થઈ ચુકી છે.
સોમવારે સવારે 10.30 કલાક સુધીમાં 16 મૃતદેહો મળી આવ્યા છે. બાકીના 6 લોકોની શોધ હજૂ પણ ચાલું છે. પહાડની ટોચ સાથે ટકરાયા બાદ લગભગ 100 મીટરના વિસ્તારમાં લાશ અને વિમાનનો કાટમાળ ફેલાયેલો પડ્યો હતો. એરપોર્ટ અથોરિટીએ જણાવ્યું હતું કે, વિમાન લગભગ 14,500 ફૂટની ઉંચાઈ પર ટકરાઈને દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
Nepal | Crashed Tara Air aircraft located at Sanosware, Thasang-2, Mustang
The aircraft with 22 people including four Indians onboard went missing yesterday.
દિવસભરની શોધખોળ બાદ તપાસ અભિયાન હાથ ધરવામા આવ્યું હતું, જે સાંજે લગભગ 4 કલાકે ફ્લાઈટ ક્રેશ થવાના સમાચાર આવ્યા હતા. પ્લેનમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 22 લોકો સવાર હતા, તેમાં 4 ભારતના, 2 જર્મનીના અને 13 નેપાળના મુસાફરો હતા. ફ્લાઈટમાં ચાલક દળના 3 સભ્યો પણ હતા, વિમાન 30 વર્ષ જૂનુ હતું.
દિવસભરની શોધખોળ કર્યા બાદ સાંજે લગભગ 4 કલાકની આસપાસ ફ્લાઈટ ક્રેશ થવાના સમાચાર આવ્યા હતા. પ્લેનમાં ક્રૂ મેમ્બર્સ સહિત લગભગ 22 લોકો સવાર હતા. તેમાંથી 4 મુસાફરો ભારતના, 2 જર્મનીના અને 13 નેપાળના હતા. ફ્લાઈટમાં ચાલક દળના પણ 3 સભ્યો હતા. વિમાન 30 વર્ષ જૂનુ હતું.
ત્રિભુવન ઈંટરનેશનલ એરપોર્ટના ચીફે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળ પર તપાસ થઈ રહી છે. નેપાળની સેનાના પ્રવક્તા નારાયણ સિલવાલે જણાવ્યું હતું કે, નેપાળી સેના હવાઈ માર્ગ દ્વારા ઘટનાસ્થળ સુધી પહોંચી ગઈ છે. રેસ્ક્યુ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે.