મહારાષ્ટ્રના બીડમાં કોરોનાના 22 દર્દીઓના શબ એક જ એમ્બ્યુલન્સમાં ઠાંસીઠાંસીને ભરીને સ્મશાનમાં લઈ જવાનો કિસ્સો બન્યો છે.
મહારાષ્ટ્રના બીડની હોસ્પિટલનો કિસ્સો
1 એમ્બ્યુલન્સમાં 22 લાશ સ્મશાને પહોંચાડાઈ
હોસ્પિટલ પાસે ફક્ત 1 એમ્બ્યુલન્સ
બીડના અંબાજોગાઈ સ્થિત સ્વામી રામાનંદ તીર્થ ગ્રામીણ રાજકીય ચિકિત્સા કોલેજના મડદાઘરમાં રાખવામાં આવેલા મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યાં.
પરંતુ 22 લાશોને લઈ જવા માટે પૂરતી સંખ્યામાં એમ્બ્યુલન્સ નહોતી. મેડિકલ કોલેજના ડીન ડોક્ટર શિવાજી શુક્રેએ જણાવ્યું કે હોસ્પિટલ પાસે જરુરી સંખ્યામાં એમ્બ્યુલન્સ નહોતી જેને કારણે એક એમ્બ્યુલન્સમાં 22 લાશોને ભરીને લઈ જવામાં આવી. તેમણે કહ્યું કે હાલમાં અમારી પાસે ફક્ત એક જ વાન છે.તે ઉપરાંત અમારી પાસે કોલ્ડ સ્ટોરેજ પણ નથી.
એમ્બ્યુલન્સ ન મળતા લોકો કારમાં મૃતદેહોને લઈ ગયા
ગુરુગ્રામમાં એમ્બ્યુલન્સ ન મળતા લોકો કારમાં મૃતદેહોને લઈ આવ્યાં હતા. પિતાના અંતિમ સંસ્કાર માટે આવેલા એક વ્યક્તિએ જણાવ્યું કે સોમવારે સવારે મારા પિતાનું કોરોનાથી નિધન થયું. અમે બપોરના 3 ની આસપાસ તેમના અંતિમ સંસ્કાર માટે મદનપુરી સ્મશાનમાં આવ્યાં પરંતુ અમારે પાંચ કલાકની રાહ જોવી પડી હતી.
પાર્કિંગ એરિયામાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા પડ્યા
ગુરુગ્રામાં 7 લોકો કોરોનાથી મોત પામ્યા હોવાનું સત્તાવાર આંકડામાં જણાવાયું પરંતુ ગુરુગ્રામના મદનપુરી સ્મશાનમાં એક દિવસમાં 90 મૃતદેહો આવતા જગ્યા ખુટી પડી અને પરિણામે છેક પાર્કિંગ એરિયા સુધી મૃતદેહોને એક પછી એક ગોઠવીને અંતિમ સંસ્કાર કરવા પડ્યાં.
એક દિવસમાં 90 મૃતદેહો આવ્યાં
સોમવારે 90 લોકો કોરોનાથી અને બીજા રોગોથી મૃત્યુ પામ્યા હતા અને મદનપુરી સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા. હવે આટલી મોટી સંખ્યામાં મૃતદેહોને રાખવા અને અંતિમ સંસ્કાર કરવા જગ્યા તો જોઈએને. સ્મશાનમાં જગ્યા ખૂટતા પાર્કિંગ એરિયા સુધી મૃતદેહોને ગોઠવવામાં આવ્યાં અને અંતિમ સંસ્કાર કરવા પડ્યાં.
અંતિમ સંસ્કાર માટે પાર્કિંગ એરિયામાં 10 પ્લેટફોર્મ બનાવાયા
મદનપુરી સ્મશાનના રખેવાળે જણાવ્યું કે સોમવારે અચાનક જ 90 જેટલા મૃતદેહો આવ્યાં, આ બધાને બાળવા ક્યાં તે પ્રશ્વ ખડો થયો. અમે કોઈ એક સમયે 30 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવાની સ્થિતિમાં હતા પરંતુ 90 મૃતેદેહોને અંતિમ સંસ્કાર કેવી રીતે કરવા. તેથી અમે પાર્કિંગ એરિયામાં 10 પ્લેટફોર્મ બનાવીને અંતિમ સંસ્કાર કર્યાં.