બેટ દ્વારકાના જહાજે મધદરિયે જળસમાધિ લીધી છે. અલ રહેમાની નામનું જહાજ મધદરિયે ડૂહ્યું. ઓખાથી 80 નોટીકસ માઇલ દૂર દરિયામાં જહાજે જળસમાધિ લીધી. જહાજમાં ગાબડું પડતા તેમાં પાણી ભરાઇ ગયું હતું. જો કે જહાજમાં સવાર 10થી વધુ ખલાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. ખલાસીઓએ ફિશિંગ બોટને સિગ્નલ આપતા તેમને સુરક્ષિત બચાવ્યા છે. ત્યારે દરિયામાં ડૂબતા જહાજના દિલધડક દ્રશ્યો કોમેરામાં કેદ થઇ ગયા છે.