ઈરાકના સોમુલ શહેરમાં ટિગરિસ નદીમાં બોટ ડૂબી જતાં 83 લોકોના મોત નિપજ્યા છે. બોટમાં ક્ષમતાથી વધુ લોકો સવાર હતા જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. ઈરાકના નાઈનવેહ પ્રાંતમાં નાગરિક સુરક્ષાના પ્રમુખ કર્નલ હુસામ ખલીલે જણાવ્યું કે આ દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે બોટમાં મોટી સંખ્યામાં લોકો સવાર હતા.
આ લોકો નવા વર્ષની ઉજવણી કરવા માટે બહાર નીકળ્યા હતા. વસંત ઋતુના આગમનને પગલે કુર્દ નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય છે. મૃતકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો સામેલ છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ઈરાકમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે મોસુલ ડેમમાંથી પાણી છોડવાના કારણે ટિગરિસ નદીમાં પૂર જેવી સ્થિતિ હતી.
જેને લઇને તંત્ર દ્વારા લોકોને એલર્ટ પણ કરવામાં આવ્યા હતા. જો કે વસંત ઋતુના પ્રથમ દિવસે જંગલો તરફ આવનારા સેંકડો લોકો નદીના તટ પર એકઠા થઈ ગયા હતા.આ દરમિયાન બોટથી નદી ક્રોસ કરતા સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી.
ઇરાકના મોસૂલ શહરેમાં ટિગરિસ નદીમાં બોટ ડૂબી જતાં અંદાજે 80થી વધારે લોકોના મોત નિપજ્યાં છે. મૃતકોમાં સૌથી વધારે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ બોટમાં અંદાજે 200થી વધારે લોકો સવાર હતા. જો કે બોટમાં સવાર બધા લોકોને તરતા ન આવડતું હોવાનું બહાર આવ્યું છે. આ દૂર્ઘટનામાં 55 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. જો કે તંત્ર દ્વારા પાણીનું સ્તર વધારે હોવાથી પહેલાંથી જ ચેતવણી આપવામાં આવી હતી.