દેશભરમાં ચાર દિવસ સુધી મહાપર્વ છઠ મનાવવામાં આવી. રવિવાર સવારે જ્યારે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવા માટે ઉત્સાહનો માહોલ હતો, ત્યારે ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાની તમસા નદીમાં સેલ્ફી લેવાના ચક્કરમાં બોટ પલટી જવાથી સાત લોકો નદીમાં પડ્યા હતા. છઠ મનાવવા માટે એકઠી થયેલ ભીડે છે લોકોને તો બચાવી લીધા પરંતુ એક યુવકનું મોત થઇ ગયું. આ પ્રકારે જીયનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તળાવમાં ડૂબીને બે યુવાનોના મોત થઇ ગયા. છઠ દરમિયાન ત્રણ વિસ્તારોમાં કુલ પાંચ લોકોના ડૂબી જવાથી મોત થયા છે.
યૂપના આઝમગઢમાં છઠ પૂજા દરમિયાન સેલ્ફીના ચક્કરમાં બોટ પલટી
છઠ પૂજા દરમિયાન આઝમગઠમાં થયેલ કેટલીક દુર્ઘટનામાં કુલ પાંચ લોકોના મોત
આઝમગઢમાં રવિવારે કોતવાલીના ગૌરીશંકર ઘાટ નજીક બોટ પલટી ગઇ. બોટ પર સાત લોકો સવાર હતા, જેમાં 6 લોકોને બચાવી લેવાયા. ત્યારે શહેરના મુકેરીગંઝ નિવાસી 15 વર્ષીય ગિરીશ ગુપ્તા હજુ સુધી લાપતા છે. તેમનો મૃતદેહ શોધવા માટે એનડીઆરએફ કામે લાગી છે.
કેટલાક મૃતદેહ મળ્યા, બાકીની શોધખોળ શરૂ
એસપી સિટીએ જણાવ્યું કે શહેર કોતવાલી વિસ્તારમાં બે લોકોના મોત થાય છે જ્યારે જીયનપુર સ્ટેશન વિસ્તારમાં પણ બે લોકોના ડૂબીને મોત થયા છે. ટિક દેવા કોતવાલીમાં પણ એક પોખરેમાં ડૂબીને એક યુવકનું મોત થયું છે.
એસપીએ જણાવ્યું કે કેટલાક મૃતદેહ મળી ચૂકાય છે, જ્યારે બાકીની શોધખોળ ચાલી રહી છે. તેના માટે આઝમગઢ પ્રશાસન પીએસસીની સાથે એનડીઆરએફની ટીમ પણ લગાવવામાં આવી છે.
જણાવી દઇએ કે છઠ દરમિયાન થયેલ આ દુર્ઘટનામાં બે લોકોના તમસા નદીમાં ડૂબવાથી જ્યારે ત્રણ લોકોના પોખરેમાં ડૂબવાથી મોત થયા છે. ઉલ્લેખનીય છે કે જીયનપુર કોતવાલીના બેરમામાં તમસા નદીમાં ડૂબીને 19 વર્ષીય વિશાલ પુત્ર નંદલાલ પ્રજાપતિનું મોત થઇ ગયું. તે માં સાથે છઠ પૂજા માટે આવ્યો હતો. દિવસે 11.15 કલાકે મૃતદેહ મળ્યો.