બિહારના કટિહારમાં ગુરૂવારે સાંજે એક મોટી બોટ દુર્ઘટના સર્જાઇ. અહીં મહાનંદા નદીમાં 50 લોકોથી ભરેલી એક બોટ પલટી ગઇ. આ ઘટનામાં 2 લોકોના મોતના સમાચાર છે. જોકે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
બોટમાં બંગાળના બાજિતપુરથી બિહરમાં ડમડોલિયા આવી રહી હતી
બોટ બંગાળના જગન્નાથપુર ઘાટથી રવાના થઇ હતી
રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું
મહાનંદાની સહાયક નદીમાં આ દુર્ઘટના બની છે. બોટમાં 40 લોકો સવાર હતા. બોટ પશ્વિમ બંગાળના બાજિતપુરથી બિહારના આબાદપુર વિસ્તારના ડમડોલિયા આવી રહી હતી. ડમડોલિયા અને બાજિતપુર વચ્ચે આ દુર્ઘટના બની છે.
જોકે અત્યાર સુધીમાં બે મૃતદેહ મળી આવ્યા હોવાની માહિતી મળી છે. બિહારના બારસોઈ તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. આ સાથે એસડીએમ અને ડીએમ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે.
A boat carrying passengers capsizes in Mahananda river in Katihar region of Bihar. More details awaited.
માલદા જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશિક ભટ્ટાચાર્યના જણાવ્યા અનુસાર, મહાનંદા નદીમાં બોટ પલટતા 2 લોકોના મોત થયા છે અને 28 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, એનડીઆરએફના જવાન ઘટનાસ્થળે છે.
Malda District Magistrate,Kaushik Bhattacharya: Two people have died and 28 have been rescued after a boat carrying them capsized in Mahananda river, today. NDRF personnel are at the spot. The boat was carrying people to Katihar in Bihar from Malda in West Bengal. https://t.co/3rD9DtLSvM