ઝારખંડના જામતાડામાં ગુરૂવારે એક નાવ પલ્ટી જવાના કારણે 16 લોકો ગુમ થઈ ગયા છે. 16માંથી 4 લોકો તરીને જેમ તેમ કરીને બહાર આવી ગયાં છે. પણ 12 લોકો હજૂ પણ ગુમ છે.
ઝારખંડમાં બની મોટી દુર્ઘટના
નદીમાં નાવ ડૂબી ગઈ
નાવમાં સવાર લોકો ગૂમ
ઝારખંડના જામતાડામાં ગુરૂવારે એક નાવ પલ્ટી જવાના કારણે 16 લોકો ગુમ થઈ ગયા છે. 16માંથી 4 લોકો તરીને જેમ તેમ કરીને બહાર આવી ગયાં છે. પણ 12 લોકો હજૂ પણ ગુમ છે. હાલમાં NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચીને નદીમાં ડૂબેલા લોકોને શોધી રહી છે.
ઝડપી પવન ફુંકાતા નાવ પલ્ટી ગઈ
આ ઉપરાંત ઘટનાસ્થળ પર ભારે પોલીસફોર્સ પણ તૈનાત કરી દેવામાં આવી છે. રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર ગુરૂવારની સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ નાવ પર સવાર લોકો નદીમાંથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે ઝડપી પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો. ઝડપી પવનના કારણે નાવ નદીમાં પલ્ટી ગઈ.
झारखंड: जामताड़ा में एक नाव पलटने से लापता 12 लोगों को खोजने के लिए बचाव अभियान जारी है। pic.twitter.com/OsqDVf75Ze
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર નાવ પર સવાર મોટા ભાગના લોકો ધનબાદમાં મજૂરી કરીને પોતાના કામ પતાવી ઘરે પાછા ફરી રહ્યા હતા. જે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. જો કે, બચાવ અભિયાન દરમિયાન હજૂ એકેય મૃતદેહ મળ્યો નથી.
આ અગાઉ પણ બની હતી આવી ઘટના
તો વળી થોડા મહિના પહેલા જ બિહારના ગોપાલગંજમાં એક હોડી પલ્ટી ગઈ હતી. નાવમાં 24 લોકો સવાર હતા. તમામ લોકો નદી પાર ખેતી કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન દુર્ઘટના થઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, નાવ પલ્ટી ખાધા બાદ બે મહિલા સહિત ત્રણ લોકોના ડૂબીને મોત થઈ ગયા હતા. આ દુર્ઘટના તે સમયે થઈ હતી, જ્યારે નવા પર રાખેલી કોઈ પર્સનલ ટ્રે્ક્ટર લઈ જઈ રહ્યા હતા, તે સમયે કોઈએ તેને સ્ટાર્ટ કરી દીધું , જેને લઈને ટ્રેક્ટર નાવ સહિત પલ્ટી ગયું હતું. તેના પર સવાર તમામ 25 લોકો નદીમાં ડૂબી ગયા હતા. આ નાવ દુર્ઘટનામાં બેતિયા-ગોપાલગંજ સ્થિત ભગવાનપુર ગામ નજીક થઈ હતી.