આસામના સોનિયાપુરમાં ગુરૂવારે જિયા ભરાલી નદીમાં એક બોટ પલટી ગઇ. જેને લઇને કેટલાક લોકો લાપતા થઇ ગયા છે. સ્થાનિક લોકોએ SDRFની ટીમની મદદથી લાપતા લોકોની શોધખોશ શરૂ કરી છે.
બોટ પલટી જવાની ઘટનાઓ દિવસેને દિવસે બની રહી છે ત્યારે આજે જિયા ભરાલી નદીમાં એક બોટ પલટી હોવાની ઘટના સામે આવી છે. જેને લઇને તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટ્સ અનુસાર, બોટ તેજપુરમાં લાલ તપૂની પાસે બિહિયા ગામથી પંચ મીલ જઇ રહી હતી. બોટમાં 70થી 80 લોકો સવાર હતા..
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ બિહારના કટિહારમાં મહાનંદા નદીમાં 40 લોકો સવાર એક બોટ પલટી હતી. જ્યારે પશ્ચિમ બંગાળના કટિહારમાં 60 લોકો સવાર એક બોટ મહાનંદા નદીમાં પલટી હતી. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા હતા.