ગુજરાતમાં કોરોના વાયરસના કારણે સતત કેસ વધી રહ્યા છે ત્યારે ગુજરાતમાં બોર્ડની પરીક્ષાની તારીખોમાં ફેરફાર થઈ શકે છે.
પરીક્ષાની તારીખમાં થઈ શકે છે ફેરફાર
ધો-10, 12ની પરીક્ષાની તારીખમાં થઇ શકે ફેરફાર
આગામી સમયમાં યોજાશે બેઠક
ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખમાં થઈ શકે છે ફેરફાર
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે જેના કારણે 30 એપ્રિલ સુધી શાળા અને કૉલેજને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે હવે બોર્ડની પરીક્ષાને લઈને સરકારમાં હલચલ તેજ થઈ ગઈ છે.
શિક્ષણ બોર્ડે પરીક્ષાની તારીખોને લઈને મહામંથન શરૂ કર્યું
કોરોનાની સ્થતિને ધ્યાને રાખતા ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખમાં ફેરફાર થઈ શકે છે. સૂત્રો અનુસાર શિક્ષણ બોર્ડમાં પરીક્ષાની તારીખોને લઈને મંથન શરૂ કરી દેવામાં આવ્યું છે અને આગામી સમયમાં પરીક્ષાની તારીખોને લઈને બેઠક પણ કરવામાં આવશે.
નોંધનીય છે કે 10 મેથી ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ કરવામાં આવવાની છે પરંતુ માર્ચ મહિના બાદથી કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં હવે પરીક્ષાઓ કઈ રીતે લેવાશે તે મુદ્દે સવાલ ઊભા થઈ રહ્યા છે. વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ માની રહ્યા છે કે પરીક્ષાઓની તારીખ લંબાવી દેવી જોઈએ. એવામાં સૂત્રો અનુસાર કોર કમિટીની બેઠકમાં પરીક્ષાની તારીખોને લઈને નિર્ણય લેવાઈ શકે છે.