કોરોના મહામારીના કારણે સીબીએસસી બોર્ડે રાજસ્થાન, હિમાચલ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, પંજાબ, એમપી, છત્તીસગઢમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને લઈને જાહેરાત કરી છે.
દેશના આ 7 રાજ્યોમાં બોર્ડની પરીક્ષાઓ થઈ કેન્સલ
સીબીએસસી બોર્ડે કોરોના મહામારીમાં લીધો નિર્ણય
ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓ કરી કેન્સલ અને ધોરણ 12ની કરી મોકૂફ
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સીબીએસસી બોર્ડે 7 રાજ્યોમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાને કેન્સલ કરી છે અને ધોરણ 12ની પરીક્ષા મોકૂફ રાખી છે. આ પરીક્ષાને લઈને નિર્ણય 1 જૂન બાદ લેવાશે.
હિમાચલ પ્રદેશ બોર્ડ
કોરોના મહામારીના કારણે હિમાચલ પ્રદેશ સરકારે ધોરણ 10 અને 12ની પરીક્ષાને 17 મે સુધી સ્થગિત કરી છે. આ સિવાય અંડર એજ્યુકેશન પ્રોગ્રામની પરીક્ષાઓને પણ 17 મે સુધી સ્થગિત કરી છે. શિક્ષા વિભાગે પરીક્ષાઓને સ્થગિત કરવાના આદેશ આપ્યા છે. પ્રદેશમાં 13 એપ્રિલે શરૂ થનારી બોર્ડની પરીક્ષાને 2 દિવસમાં સ્થગિત કરાઈ છે.
રાજસ્થાન બોર્ડ
બેકાબૂ કોરોના મહામારીના કારણે અહીના મુખ્ય મંત્રી અશોક ગહેલોતે મોટો નિર્ણય લીધો છે. રાજસ્થાન બોર્ડની પરીક્ષાને લઈને કહ્યું છે કે અહીં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ સ્થગિત કરાઈ છે. આ સાથે 8મી બોર્ડના વિદ્યાર્થીઓ અને 9મા ધોરણના વિધ્યાર્થીઓને ધોરણ 10 અને ધોરણ 11ના માટે 12મા ધોરણમાં પ્રમોટ કરવાનો નિર્ણય લેવાયો છે.
મધ્યપ્રદેશ બોર્ડ
અહીં બોર્ડની પરીક્ષાઓ 30 એપ્રિલથી શરૂ થવાની છે. કોરોના સંક્રમણના કારણે એક મહિનો પરીક્ષા લેટ છે. 10 અને 12માં ધોરણની બોર્ડની પરીક્ષાઓ જૂન મહિનામાં થશે તેમ કહેવાયું છે. પરીક્ષાનો નવો કાર્યક્રમ જલ્દી જ જાહેર કરવામાં આવશે. શિક્ષામંત્રીએ કહ્યું કે બાળકોની સુરક્ષા અમારી પહેલી જવાબદારી છે. આ સમયે પરીક્ષા રાખવી શક્ય નથી.
છત્તીસગઢ બોર્ડ
અહીં કોરોના મહામારીને કારણે ધોરણ 10ની પરીક્ષાઓ ટાળી દેવામાં આવી છે. આ 15 એપ્રિલથી શરૂ થવાની હતી. અહીં કોઈ નવી તારીખની જાહેરાત કરાઈ નથી. જ્યારે ધોરણ 12ની પરીક્ષા તેના કાર્યક્રમ અનુસાર 3 મેથી શરૂ થઈને 24 મે સુધી લેવાશે.
પંજાબ બોર્ડ
બોર્ડની પરીક્ષાઓ સ્થગિત કરનારું પંજાબ પહેલું રાજ્ય હતું. પંજાબે 12મા ધોરણની બોર્ડની પરીક્ષા ફરી એકવાર સ્થગિત કરી છે. નવી ડેટ શીટ અનુસાર આ 20 એપ્રિલથી શરૂ થવાની હતી. તેનો પેપર 24 એપ્રિલે હતું. 4 મેના રોજ શરૂ થનારી 10મીની પરીક્ષાને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી. પંજાબ બોર્ડે કહ્યું છે કે 10મા ધોરણની પરીક્ષાને લઈને આવનારા 2-3 દિવસમાં લેવાશે નિર્ણય.
મહારાષ્ટ્ર બોર્ડ
અહીં કોરોનાની સ્થિતિ બેકાબૂ બનતા 10મા ધોરણ અને 12 મા ધોરણની પરીક્ષાઓ સ્થગિત કરાઈ છે. મહારાષ્ટ્રમાં શિક્ષા મંત્રીએ જાહેરાત કરતા કહ્યું કે ધોરણ 12ની પરીક્ષા મેના અંત સુધી આયોજિત કરાશે. 10ની પરીક્ષાઓ જૂનમાં લેવાશે. આ માટે ફરીથી નવો કાર્યક્રમ જાહેર કરાશે.
તમિલનાડુ બોર્ડ
આ એક માત્ર રાજ્ય છે જેણે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ્દ કરી છે. અહીં ધોરણ 9 અને ધોરણ 11ના બાળકોને ધોરણ 10માં પ્રવેશ આપી દેવાશે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ 3મેથી શરૂ થશે. આ પરીક્ષાને રદ્દ કરવાનો કોઈ નિર્ણય લેવાયો નથી.