સાયબર ક્રાઇમને સમગ્ર મામલે કરીશું ફરિયાદ:બોર્ડના ચેરમેન
રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. ત્યારે ધોરણ-12ના સામાન્ય પ્રવાહના કોમ્પ્યુટર વિષયનું પેપર વાયરલ થયો હોવની ચર્ચા સામે આવી હતી. પરીક્ષા પૂર્ણ થતા પહેલા પેપર વાયરલ થયાનો યુવરાજસિંહએ દાવો કર્યો હતો. ધોરણ-12ના સામાન્ય પ્રવાહના કોમ્પ્યુટર વિષયનું પેપર વાયરલ બાબતે બોર્ડના ચેરમેન એ.જે.શાહનું નિવેદન સામે આવ્યું છે.
બોર્ડના ચેરમેન એ.જે.શાહનું નિવેદન
કોમ્પ્યુટર વિષયનું પેપર વાયરલ બાબતે બોર્ડના ચેરમેન એ.જે.શાહે જણાવ્યું કે, પેપર લીક થયું નથી તેમજ સાયબર ક્રાઇમને સમગ્ર મામલે ફરિયાદ કરીશું. તેમણે કહ્યું કે, પેપરલીક થયું નથી પણ વાયરલ થયું તે એક પ્રશ્ન છે. બોર્ડના ચેરમેન જણાવ્યું કે, 12થી 15 પ્રશ્નો વાયરલ થયેલા પ્રશ્ન સાથે મળતા આવે છે. પરીક્ષા પુર્ણ થયા પહેલા D સેટનું પેપર વાયરલ થયું છે
54થી 60 નંબર સુધીના પ્રશ્નો બંનેમાં એક જ સરખા
રાજકોટમાં વિદ્યાર્થીઓએ કહ્યું પ્રશ્ન નંબર 60 અને 59 જે વાયરલ થયેલા પેપરમાં છે એ જ છે. તેમણે કહ્યું કે, કોમ્પ્યુટરના પેપરમાં અમુક પ્રશ્નો જે છે તે જ વાયરલ થયેલા પ્રશ્નોમાં હોવાનું બહાર આવ્યું છે. કોમ્પ્યુટરના પેપરમાં પેજ નંબર 9 અને 11ના તમામ પ્રશ્નો આ પેપરમાં હોવાનું ખુલ્યું છે. 54થી 60 નંબર સુધીના પ્રશ્નો બંનેમાં એક જ સરખા જોવા મળી રહ્યા છે. વાયરલ થયેલું પેપર અને વિદ્યાર્થીઓ પાસે રહેલા પેપરમાં એક જ સરખા મોટા ભાગના પ્રશ્નો જોવા મળ્યા છે.
યુવરાજસિંહે શું દાવો કર્યો હતો
યુવરાજસિંહ ટ્વીટમાં જણાવ્યું હતું કે, આજરોજ ધોરણ 12સામાન્ય પ્રવાહમાં કોમ્પ્યુટર વિષયની પરીક્ષા વર્તમાન સમયમાં ચાલી રહી છે. વધુમાં લખ્યું કે, મારા વોટ્સ એપ નંબર સુધી જાગૃત નાગરિક દ્વારા આ પેપરલિક થયાની માહિતી પોહચાડવામાં આવેલી છે. પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટિ હું કરતો નથી તેમજ વર્તમાન સમય દરમિયાન પેપર શરૂ છે
આજરોજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ માં ""#કોમ્પ્યુટર_વિષય"" ની પરીક્ષા વર્તમાન સમયમાં ચાલી રહી છે.
મારા વોટ્સ એપ નંબર સુધી જાગૃત નાગરિક દ્વારા આ #પેપરલીક થયાની માહિતી પોહચાડવા માં આવેલ છે.
પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટિ હું કરતો નથી.
વર્તમાન સમય દરમિયાન પેપર શરૂ છે👉૩ થી ૬:૧૫ pic.twitter.com/PstcxW3Ead