બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ ઠાકરે પરિવારના નિવાસ 'માતોશ્રી' ની બહારથી પોસ્ટરો હટાવી લીધા છે. જેમાં આદિત્ય ઠાકરેનો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવાની માગ કરવામાં આવી હતી.
ઠાકરે પરિવારના બંગલા બહાર લાગેલ પોસ્ટર હટાવાયા
આદિત્ય ઠાકરેને CM બનાવવાના લાગ્યા હતા બેનર
શિવસેનાએ રાજ્યપાલ સાથે કરી બેઠક
નોંધનીય છે કે, શિવસેના બીએમસીમાં સૌથી મોટી પાર્ટી છે. ત્યારે આ સમયગાળામાં આ પોસ્ટરોને હટાવવાથી સરકારની રચનામાં ચાલી રહેલા ઉથલપાથલને નવો વળાંક મળી શકે છે. નોંધપાત્ર વાત એ છે કે શિવસેના સીએમ પદને લઈને મક્કમ છે, પરંતુ ભાજપે સ્પષ્ટ કહ્યું છે કે માત્ર દેવેન્દ્ર ફડણવીસ પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેશે.
સરકાર માટે ઉદ્ધવ ઠાકરે કરશે અંતિમ નિર્ણય : આદિત્ય
Mumbai: Brihanmumbai Municipal Corporation (BMC) removes hoardings outside Matoshree (Thackeray residence) which read 'CM Maharashtra only Aditya Thackeray.' #Maharashtrapic.twitter.com/obRMx60OwO
ગુરૂવારે શિવસેનાના ધારાસભ્યોની બેઠકમાં આદિત્ય ઠાકરેની જગ્યાએ પાર્ટીના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ધારાસભ્ય દળની બેઠક બાદ શિવસેનાના પ્રતિનિધિ મંડળે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે, સરકારના ગઠન માટે અંતિમ નિર્ણય ઉદ્ધવ ઠાકરે કરશે.
ભાજપ-શિવસેના વચ્ચે 50-50 ફોર્મ્યુલાનું પાલન પર શિતયુદ્ધ
આપને જણાવી દઇએ કે, તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 105 બેઠકો અને શિવસેનાએ 56 બેઠકો જીતી હતી. સરકાર બનાવવા માટે 145 બેઠકો આવશ્યક છે.ત્યારે શિવસેના મક્કમ છે કે ભાજપે 50-50 ફોર્મ્યુલાનું પાલન કરવું જોઈએ અને મુખ્યમંત્રીની અઢી-અઢી વર્ષની વાતો માટે લેખિતમાં ખાતરી આપવી જોઈએ. આ સાથે જ ભાજપે કહ્યું છે કે જો મહત્તમ બેઠકો ભાજપની હોય તો શિવસેનાને સીએમ પદ આપવાનો સવાલ જ નથી.