જાધવે દિવાળીની પહેલા એક સૂરસુરિયો ટેટો ફોડ્યો- ભાજપ
બીએમસી ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓમાં ચર્ચા શરુ
મુંબઈમાં બીએમસીની ચૂંટણીની હલચલ અત્યારથી શરુ થઈ ગઈ છે. દેશમાં સૌથી અમીર મહાનગર પાલિકા બીએમસીની ચૂંટણી આવતા વર્ષ 2022માં ફેબ્રુઆરીમાં થવાની છે. અત્યારથી બીએમસી ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓમાં ચર્ચા શરુ થઈ ગઈ છે. ત્યારે બીએમસી પર અનેક વર્ષોથી રાજ કરી રહેલી શિવસેનાએ મોટો દાવો કર્યો છે.
બીએમસીમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શિવેસેનાના નેતા યશવંત જાધવે દાવો કર્યો છે કે ભાજપના 15થી 20 નગરસેવક શિવસેનાના સંપર્કમાં છે. શિવસેના નેતા યશવંત જાધવે એમ પણ દાવો કર્યો છે કે તે તમામ ભાજપથી ખુશ નથી।
જાધવે દિવાળીની પહેલા એક સૂરસુરિયો ટેટો ફોડ્યો- ભાજપ
આ મુદ્દા પર બીએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શિવસેના નેતા યશવંત જાધવે પ્રેસ કોન્ફરન્સ કરી આ જાણકારી આપી. જે બાદ ભાજપની પ્રતિક્રિયા આવવી સ્વાભાવીક હતી. ભાજપ તરફથી વિનોદ મિશ્રાનું કહેવું છે કે શિવસેના નેતા યશવંત જાધવે દિવાળીની પહેલા એક સૂરસુરિયો ટેટો ફોડ્યો છે કે ભાજપના નગર સેવક શિવસેનાના સંપર્કમાં છે. આ ખોટું છે. શિવસેનાએ કોરોનાના સમયમાં કેટલા ઘોટાળા કર્યા છે તેના પર વાત કરો.
બીએમસીમાં સ્વતંત્ર ચૂંટણી લડવા પર વિચાર કરી રહી છે શિવસેના- સૂત્રો
ઉલ્લેખનીય છે કે બીએમસીમાં કુલ 227 સીટો છે. મનાઈ રહ્યું છે કે તમામ મોટી રાજનીતિક પાર્ટી બીએમસીના તમામ 227 સીટો પર સ્વતંત્ર ચૂંટણી લડવાનો વિચાર કરી રહી છે. મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીની સરકાર છે. જેમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપી છે. પરંતુ સૂત્રોના જણાવ્યાનુસાર તમામ પાર્ટી બીએમસીમાં સ્વતંત્ર ચૂંટણી લડવા પર વિચાર કરી રહી છે.