ભાવનગર મહાનગરપાલિકા ના શાસકો પોતાની બુદ્ધિ વરવું નું પ્રદર્શન કરતા હોય તેમ.લાગી રહ્યું છે કારણ કે તાજતરમાં ભાવનગર મનપામાં નવા ભળેલા સિદસર ગામમાં ડ્રેનેજ ની લાઈન નાખતા સમયે શાસકો એ ભૂલી ગયા કે અહીં નેશનલ હાઇવે દ્વારા 4 લેન રોડ બનાવવાનો છે અને હવે નેશનલ ઓથોરિટીને ઓચિંતું આ યાદ આવતા પ્રજાના પૈસાની ફરી એક વાર બરબાદી તોળાઈ રહી છે.
નેશનલ ઓથોરિટીને ઓચિંતું યાદ આવતા ફરી વેડફાશે પ્રજાના પૈસા
નેશનલ ઓથોરિટી દ્વારા અહીં મનપા એ ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ તેના બનાવાયેલ મેન હોલ ની તમામ કુંડીઓ તોડી પાડતા મનપા એ કરેલી તમામ કામગીરી હવે ફરી કરવી પડશે અને પ્રજા ના પૈસા નો વેડફાટ થશે તેવો આક્ષેપ વિપક્ષે કર્યો છે જો કે શાસકોનું કહેવું છે કે આ લાઈન બદલવાની તેમજ નવી ટાંકીઓ બનાવવાની જવાબદારી નેશનલ ઓથોરિટી ની રહેશે અને આ મામલે તેની સાથે પત્ર વ્યવહાર થયો છે.
મનપામાં છે 25 વર્ષથી ભાજપનું શાસન
ભાવનાગર મહાનગરપાલિકા માં છેલ્લા 25 વર્ષ થી ભાજપ નું શાસન છે અને દરેક વખતે વિકાસ ના નામે લોકો મત આપી ને ભાજપ ને સત્તા માં બેસાડે છે ભાવનગર મહાનગરપલિકા માં સત્તા સંભાળ્યા બાદ શાસક પક્ષ અને અધિકારીઓ તેમજ કોન્ટ્રાકટરો વચ્ચે સાંઠ ગાંઠ થાય છે અને પ્રજા ના પૈસા નો વેડફાટ થતો જોવામળે છે
ભાવનગર મહાનગરપલિકા નો વિસ્તાર અને વસ્તી વધે તે માટે 5 વર્ષ અગાઉ 5 ગામો ને મનપા માં ભેળવવામાં આવ્યા હતા જે પૈકી એકે ગામ સિદસર પણ હતું મનપા એ સિદસરના લોકો માટે ડ્રેનેજ લાઈન નાખવા માટે કામ હાથ ધર્યું પરંતુ સિદસર ગામ માં નહીં પરંતુ તેની બહાર ના વિસ્તાર માટે તે બનાવાયું હતું, અને તે પણ હવે ફરી તોડી ને નવું કરવું પડશે તેવો ઘાટ ઘડાયો છે.
સિદસર ગામે નાખવામાં આવી હતી ડ્રેનેજ લાઇન
સિદસર નજીકથી પસાર થતા હાઇવે પાસે ડ્રેનેજ લાઈન નાખવામાં આવી અને અહીં મેન હોલ એટલેકે મોટી ટાંકીઓ બનાવવામાં આવી હતી આમતો આ રોડ 4 લેન બનાવવા નેશનલ ઓથોરિટી નું કામ ચાલુ છે અને ત્યાં મનપાએ ટાંકીઓ બનાવી નાખતા હવે આ લાઈન અને ટાંકી રોડ ની આડે આવતા હોઈ નેશનલ ઓથોરિટી એ તોડી પડ્યા છે જેથી સ્થાનિકો માં રોષ છે અને આક્ષેપ છે કે પ્રજા ના પૈસાનો વેડફાટ થઇ રહ્યો છે
હવે ત્યાં બનશે 4 લેન રોડ, અને ડ્રેનેજનું કામ પણ ફરી કરવું પડશે
ભાવનગર મહાનગરપલિકા એ સિદસર ગામ નો સીટી ની હદ માં સમાવેશ કર્યો પરંતુ અહીં પાયાની કોઈ સુવિધા ઉભી કરવામાં આવી નથી અને જે કરવામાં આવી તે ફરી કરવી પડે તેવી સ્થિતિ નું નિર્માણ કરવામાં આવ્યું છે જે સ્થળો એ લાઈન નાખવાં આવીને મેન હોલ બનાવવામાં આવ્યા ત્યાં હવે ફોર લેન રોડ બનવાનો છે
આ વિસ્તારના ખેડૂતો ને અગાઉ 3 વર્ષ પહેલા નોટિસ આપી ને નેશનલ ઓથોરિટી એ જમીન કપટ થશે તેમ જણાવ્યું હતું હવે આજ સ્થળે મનપા એ મેન હોલ અને ડ્રેનેજ લાઈન નાખી દીધી અને બુદ્ધિનું વરવું પ્રદર્શન કર્યું છે જો કે મેયર નું કહેવું છે કે જે તૂટ ફૂટ થઈ છે તમામ કામગીરી નેશનલ ઓથોરિટી જ પૂર્ણ કરશે.