રત્ન શાસ્ત્ર મુજબ પોખરાજ ગુરૂનો રત્ન છે. જેને ધારણ કરવાથી ગુરૂ ગ્રહ મજબૂત થાય છે. જો કે, આ રત્નને ધારણ કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી પડે છે. કારણકે તેનું નુકસાન પણ થઇ શકે છે. પોખરાજ ઘણી પ્રકારના હોય છે, જેમાં એક વાદળી પોખરાજ હોય છે, આવો જાણીએ વાદળી પોખરાજ વિશે.
પોખરાજ ધારણ કરવાથી ગુરૂ ગ્રહ થાય છે મજબૂત
વાદળી પોખરાજ ધારણ કરવાથી ક્રોધ પર રહે છે નિયંત્રણ
પોખરાજને ધારણ કરવાથી સાચો પ્રેમ મળે છે
વાદળી પોખરાજ પહેરવાના ફાયદા
પોખરાજ પાંચ રંગોમાં આવે છે. પીળો, ભૂરો, આછો લીલો અને વાદળી વગેરે રંગોમાં પોખરાજ મળે છે. અસલી પોખરાજ પારદર્શક હોય છે. આ રત્નને 24 કલાક દૂધમાં રાખ્યા બાદ તેમાં ઝાંખાપણુ ના આવે તો સમજજો કે આ અસલી છે. વાદળી પોખરાજ ધારણ કરવાથી ક્રોધ પર નિયંત્રણ રહે છે. આ સાથે તેને ધારણ કરવાથી આકર્ષણ શક્તિ પણ વધે છે. આ સિવાય પ્રેમ સંબંધો માટે પણ આ રત્નને સારું માનવામાં આવે છે. માન્યતા છે કે આ રત્નને ધારણ કરવાથી સાચો પ્રેમ મળે છે. લગ્નમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવામાં સહાયકરૂપ બને છે.
કોણે પહેરવો જોઈએ પોખરાજ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, વૃષભ, મિથુન, તુલા, મકર, કન્યા અને કુંભ લગ્નની રાશિના જાતકોને પોખરાજ ધારણ કરવાથી બચવુ જોઈએ. આ સાથે પોખરાજની સાથે હીરા અને પન્ના ધારણ ના કરવા જોઈએ. તો ધન રાશિમાં જો ગુરૂ ગ્રહની સ્થિતિ યોગ્ય નથી તો એવામાં પોખરાજને ગળામાં ધારણ કરવો જોઈએ.
કોણ પહેરી શકે છે પોખરાજ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ધન અને મીન રાશિના જાતકોને પોખરાજ ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય કુંડળીમાં ગુરૂ ગ્રહની સ્થિતિને ધ્યાનમાં રાખીને મેષ, કર્ક, સિંહ, વૃશ્વિક અને ધન રાશિના જાતકો પોખરાજ ધારણ કરી શકે છે.