પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઇ રાજય સરકારને મોટો ફટકો પડયો છે. આવાસના મકાનો બનાવવામાં લક્ષ્ય કરતા રાજય સરકાર ઘણી પાછળ રહી છે. રાજય સરકારે માત્ર 8 ટકા જ કામ પૂર્ણ કર્યું છે.
આવાસ યોજનાને લઇને સરકારે માત્ર 8 ટકા કામગીરી પૂર્ણ કરી છે. શહેરી વિસ્તારમાં સરકારે 40 લાખ મકાનો બનાવવાની જાહેરાત કરી હતી. પરંતુ 3 વર્ષમાં સરકારે માત્ર 3 લાખ જ મકાનો બનાવ્યા છે. અને ગ્રામીણ આવાસ યોજનામાં 95 લાખ મકાનો બનાવવાનું સરકારનું લક્ષ્ય હતું. ત્યારે ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત 29 લાખ મકાનો તૈયાર કર્યા છે. આગામી એક વર્ષમાં યોજનાને પૂર્ણ કરવા સરકારના પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં હાલમાં ઘણા લોકો ઘરવિહોણા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત "હાઉસિંગ ફોર ઓલ સ્કીમ લોંચ કરી હતી. યોજનાનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના છે પણ ભારતના તમામ બેઘર લોકોને ઘરની સુવિધા મળી રહે એ માટે તેમાં હાઉસિંગ ફોર ઓલનું ટેગ લગાવાયું છે.