અમદાવાદના કુબેર નગર વિસ્તારમાં દુકાન ભાડે રાખવા જેવી બાબતમાં હત્યા. છ લોકોએ ભેગા મળી આધેડનીક્રૂરતા પૂર્વક હત્યા નિપજાવી ફરાર. પોલીસે કલાકોમાં હત્યારાને ઝડપી લીધા
અમદાવાદના કુબેરનગરની હિચકારી ઘટના
આધેડ વ્યક્તિની છ શખ્સોએ મળી કરી હત્યા
દુકાન ભાડે રાખવા જેવી બાબતમાં અદાવત
અમદાવાદના કુબેર નગર વિસ્તારમાં દુકાન ભાડે રાખવા જેવી બાબતમાં હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. કુબેરનગર માં આધેડની છ લોકોએ ભેગા મળી ક્રૂરતા પૂર્વક હત્યા નિપજાવી આરોપી ફરાર થયા. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા કાકા-ભત્રીજાની ધરપકડ કરાઈ હતી
સરદારનગર વિસ્તારમાં આવેલ નહેરુનગરમાં આધેડ અર્જુન સોલંકીને 6 શખ્સો ભેગા મળી હત્યા નિપજાવી..હત્યા કરવા પાછળનું કારણ છે કે નહેરુનગરમાં રહેતા પ્રેમજી સોલંકીની એક દુકાન મૃતક અર્જુનના નાના ભાઈએ ભાડે રાખી હતી.જે દુકાન માલિક અને હત્યારા આરોપીઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી અંગત અદાવત ચાલી રહી હતી જેને લઈ આરોપી શિવા વાધેલા, વિષ્ણુ વાધેલા સહિત 6 લોકોએ ભાડે રાખેલી દુકાન ખાલી કરવાની ધમકી આપી હતી.સાંજે ધમકી આપ્યા બાદ થોડીક વારમાં આરોપીઓ આધેડ અર્જુન સોલંકી મૂઢ માર માર્યો જેમાં લોખંડની પાઈપના બે ત્રણ ફટકા મારી લોહી લુહાણ કર્યા.જે બાદ આરોપીઓ દુકાનમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો.સરદારનગર પોલીસે હત્યાધરપકડ નો ગુનો નોંધી બે આરોપી ધરપકડ કરી.
પોલીસ ગિરફતમાં રહેલ કાકા શિવા વાધેલા અને ભત્રીજા દિલીપ વાધેલાની ધરપકડ કરવામાં આવી છે.. પકડાયેલ આરોપી કાકા ભત્રીજાએ આધેડ અર્જુન મારવાડીને મૂઢમાર મારતા હતા તેવામાં આરોપી શિવા વાધેલાનો પુત્ર કમલેશ અને વિષ્ણુ વાધેલા લોંખડ પાઈપના ફટકા માર્યા હતા..જેથી અર્જુનભાઈ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. હત્યા કેસમાં ફરાર આરોપી વિષ્ણુ વાધેલા,મહેશ વાધેલા,કમલેશ વાધેલા અને અમરત વાધેલાની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
દુકાન પડાવવા છેલ્લા 15 દિવસથી ઝઘડો ચાલતો હોવાનું સામે આવ્યું છે..આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે આરોપીઓએ હથિયાર સાથે આંતક મચાવ્યો.. જેના કારણે સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ. પરિવારે આરોપી સામે રક્ષણ માટે પોલીસ પાસે માંગ કરી..આમાંથી એક આરોપી વિરુદ્ધ અગાઉ પણ હત્યાના ગુના નોંધાયા છે.. એક પરિવારે ઘરનો મોભી ખોઈ દેતા ન્યાય ની માંગ કરી.
.