અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડનનું કહેવું છે કે અફઘાનિસ્તાનના લોકોને પોતાના ભવિષ્યની ચિંતા પોતે જાતે કરવાની રહેશે.
તાલિબાન દ્વારા વધી રહેલ પ્રભાવ અને હિંસાથી ભારત ચિંતિત
લોકતાંત્રિક અફગાનિસ્તાન માટે પ્રતિબદ્ધ
અફઘાનિસ્તાનના લોકોને પોતાના ભવિષ્યની ચિંતા પોતે જાતે કરવાની
તાલિબાન દ્વારા વધી રહેલ પ્રભાવ અને હિંસાથી ભારત એકદમ ચિંતિત
અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા વધી રહેલ પ્રભાવ અને હિંસાથી ભારત એકદમ ચિંતિત છે. ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે અફઘાનિસ્તાનમાં વધી રહેક સંકટ પર ચિંતા વ્યકત કરતાં કહ્યું છે કે ત્યાંના રાજકારણમાં રચાતા સંકટ અને સુરક્ષાને લઈ સર્જાતી સ્થિતિની સીધી અસર ક્ષેત્રીય સુરક્ષા પર પડે છે કારણકે બંને દેશો સાથે પાકિસ્તાનની સરહદ જોડાયેલી છે. અફગાનિસ્તાનમાં તત્કાલીન રીતે થઈ રહેલી હિંસાઓ પર લગામ નાખવાની જરૂર છે. શાંતિ કાયમ રાખવા માટે ભારત અને રશિયા બંનેએ એક સાથે મળીને કામ કરવાની જરૂર છે.
લોકતાંત્રિક અફગાનિસ્તાન માટે પ્રતિબદ્ધ
એસ જયશંકર શુક્રવારે મોસ્કોમાં રશિયાના વિદેશમંત્રી સર્ગેઇ સાથે સંયુકત પ્રેસ કોનફેરેન્સને સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ભારત અને રશિયા માટે આ સુનિશ્ચિત કરવા માટે એક સાથે કામ કરવું એ ઘણું મહત્વપૂર્ણ છે, કારણકે તે પછી આર્થિક અને સામાજિક દ્રષ્ટિથી બંને દેશની પ્રગતિ થાય. અમે એક સ્વતંત્ર અને લોકતાંત્રિક અફગાનિસ્તાન માટે પ્રતિબદ્ધ છીએ.
અફઘાનિસ્તાનના લોકોને પોતાના ભવિષ્યની ચિંતા પોતે જાતે કરવાની
તેમણે વધુમાં કહ્યું કે અફગાનિસ્તાનમાં આ સ્થિતિનું સમાધાન કરવું એટલે હિંસા કરવી એવું નથી હોતું. તમને જણાવી દઈએ કે અફગાનિસ્તાનમાં વર્તમાનમાં તાલિબાન સાથે સંઘર્ષ કરી રહી છે કારણકે આંતકવાદી સંગઠન સાથે શાંતિ વાર્તામાં કોઈ પણ પ્રકારનું સમાધાન થયું નથી. બીજી બાજુ, અમેરિકાના સૈનિકોની અફગાનિસ્તાન સેનામાં મિશન 31 ઓગસ્ટ પૂરું થઈ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડનનું કહેવું છે કે અફઘાનિસ્તાનના લોકોને પોતાના ભવિષ્યની ચિંતા પોતે જાતે કરવાની રહેશે. વધુમાં તેમણે કહ્યું કે અમેરિકા ફરીથી સૈનિકોની એક પેઢીને અફગાનિસ્તાનમાં યુદ્ધ માટે મોકલી નહીં શકે. સાથે જ અફગાનિસ્તાનમાં પૂરા દેશને એક રાખી શકે તેવી સરકાર રચવી ઘણી મુશ્કેલ છે.