નિષ્ણાતો અનુસાર સામાન્ય રીતે 1 મિનિટમાં એક વ્યક્તિ 10 વખત આંખો પટપટાવે છે. અગર તમારી આંખો આ કરતા વધુ પટપટે છે તો આ એક લક્ષણ હોઈ શકે છે જેનાથી તમે ચેતવણી જાળવી શકો કારણ કે તે બ્લેફરોસ્પાઝ્મ રોગ હોઈ શકે છે. આ રોગમાં તમારી પાપણ બંધ કરતી વખતે તમને પીડા તો થશે જ પરંતુ આંખોની સ્નાયુ સંકોચાય જાય છે. આના લિધે અંધત્વનું જોખમ વધે છે. ઓપ્થાલમોલોજિસ્ટ KGMUના વિશેષકજ્ઞ ડૉ અરુણ કુમાર શર્મા કહે છે કે બ્લેફરોસ્પાઝ્મ રોગમાં તમારી પાપણને ખાલવામાં મુશ્કેલી થાય છે. આંખો સામાન્ય કરતા નાની દેખાય છે અને તણાવના લિધે માથાનો દુખાવો પણ થાય છે.
એક અથવા બન્ને આંખોને બ્લેફરોસ્પાઝ્મ બીમારીની અસર હોઈ શકે છે. ક્યારેક વ્યક્તિના ચહેરાની ડીઝાઈન પણ બદલાય જાય છે પરંતુ આવું થવાથી આંખેની ક્ષમતાને કોઈ અસર થતી નથી. ટાઈમ સાથે આ સ્નાયુઓ નસોં મગજ અથવા આંખોને ગંભીરપણે અસર કરી શકે છે.
રોગનું કારણ
જન્મથી સંબંધિત: સ્નાયુબદ્ધ સ્નાયુઓના વિકાસની સમસ્યાથી બ્લેફરોસ્પાઝ્મ ઉચ્ચ પાપણમાં થાય છે. જો પાપણ ખોલતી વખતે બાળકને જોવામાં કોઈ સમસ્યા છે તો તે તરત જ સર્જરી કરાવી જોઇએ નહિં તો આગળ જઈને આંખોની રોશની જઈ શકે છે.
વૃદ્ધાવસ્થા સંબંધિત: વૃદ્ધત્વને કારણે બ્લેફરોસ્પાઝ્મ થવું સામાન્ય છે. વૃદ્ધત્વને લીધે લીવેટર પેશીના ઉપાડી રાખવામના કામમાં અડચણ આવે છે. આ ઉંમરે બંને આંખો સામાન્ય રીતે અસર થાય છે.
આ રોગની સારવાર માટે કેટલીક દવાઓ કરતાં આંખની કસરતો વધુ અસરકારક છે જેમકે -
- જમણી બાજુના અંગૂઠાને સીધો રાખીને રાખીને તમારી બીજી આંગળીઓથી બંધ કરો. જમણા હાથને ખભાની ઊંચાઈ પર રાખો અને તેને ફ્રન્ટ તરફ લઈ જાઓ. આંખો બંધ કર્યા વગર અંગૂઠા પર તમારી આંખોનું ધ્યાન કેન્દ્રિત કરો. આવું 5 વખત કરો.
- હવે જમણા હાથને આગળથી ખસેડો અને ધીમે ધીમે જમણી બાજુ ખસેડો. તે સમયે તમારી આંખોનું ધ્યાન અંગૂઠા પર કેન્દ્રિત કરો. ધ્યાનમાં રાખો કે ચહેરો સ્થિર રાખીને ફક્ત પાપણને જમણી બાજુ લઈ જાઓ. આવું ડાબી બાજુ પણ કરો.
- તમારી આંખો આગળની બાજુએ સ્થિર રાખો અને શક્ય હોય તેટલું આંખોની ઉપર લઈ જાઓ. પાપણને ત્યાં લુધી ઉપર રાખો જ્યાં સુધી તેમાથી પાણી ન નિકળે. આ ક્રિયા નીચે જમણી અને ડાબી બાજુથી પણ કરો.