અરવલ્લીના મોડાસામાં અંબાજીથી પરત ફરી રહેલા ટેમ્પોના જનરેટરમાં બ્લાસ્ટ થયો હતો. મોડાસા ઝાલોદર પાસે બ્લાસ્ટ થતા પદયાત્રીઓ દાઝ્યા હતા. ચાલુ ટેમ્પોમાં આગ લાગતા પદયાત્રીઓ ટેમ્પોમાંથી કૂદયા હતા. આ ઘટનામાં 15 જેટલા પદયાત્રીઓ દાઝ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત પદયાત્રીઓને સારવાર માટે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલ જાલોદર પાસે અંબાજીથી પદયાત્રાએ જઈ પરત ફરી રહેલા ૪૦ પદયાત્રીઓ ભરેલા ટેમ્પામાં જનરેટરમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. જેમાં ૧૫ પદયાત્રીઓ દાજી જતા સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા છે.
ભાદરવી પૂર્ણિમા પ્રસંગે જગત જનનીમાં અંબાના દર્શન કરવા મહીસાગર જિલ્લાના દહેગામડા ગામનો સંઘ પગપાળા ચાલીને ગયો હતો આ સંઘ દર્શન કરી આજે પરત ફરી રહ્યો હતો દરમિયાનમાં મોડાસાના જાલોદર પાસે ૪૦ પદયાત્રીઓ ભરેલા આ સંઘના ટેમ્પામાં જનરેટરમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી.
ટેમ્પોમાં આગ લાગવાના પગલે અફરા તફરી મચી હતી જ્યારે ટેમ્પોમાં સવાર 15 પદયાત્રીઓ શરીરે દાજી ગયા હતા જેઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાય હતા. ટેમ્પોમાં લાગેલી આગને બુજાવવા માટે મોડાસા નગર પાલિકાનું ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે બોલાવાયું હતું અને આગ ઉપર કાબુ મેળવાયો હતો.