કચ્છના ભચાઉમાં ખાનગી કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. જયભારત નામની સ્ટીલ કંપનીની ભઠ્ઠીમાં મેગ્નેટ પડી જતા બ્લાસ્ટ થયાનું અનુમાન છે. કંપનીની ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતાં 50 જેટલા કામદારો દાઝ્યા હતા.
આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યાર બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે ગાંધીધાની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ઉલ્લેખનીય છે કે કચ્છના આ અગાઉ ભચાઉમાં કેમિકલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ લાગી હતા. ભચાઉ હાઈવે પર આગ લાગતા થોડી વાર માટે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ ફાયર વિભાગ અને પોલીસને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે તે પહેલા ભચાઉના ચોપડવા નજીક આવેલી પ્લાયવૂડ કંપનીમાં ભીષણ આગનો બનાવ બન્યો હતો.