જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં હાલના સમયમાં ટ્રાવેલર ગાડીમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ ટ્યૂલિપ ગાર્ડન પાસે થયો છે.
જમ્મુ કાશ્મીરમાં મોટો હુમલો
ટ્યૂલિપ ગાર્ડન પાસે થયો બ્લાસ્ટ
આ આતંકી સંગઠને લીધી જવાબદારી
જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં હાલના સમયમાં ટ્રાવેલર ગાડીમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ ટ્યૂલિપ ગાર્ડન પાસે થયો છે. ઘટનાવાળા વિસ્તારમાં ખૂબ ભીડભાડ હતી. આ બ્લાસ્ટમાં એક બસ ડ્રાઈવરનું મોત થઈ ગયું છે. પોલીસનું કહેવુ છે કે, આ બ્લાસ્ટ સિલેન્ડર ફાટવાના કારણે થયો છે. જો કે, આતંકી સંગઠન TRF જાતે જ તેની જવાબદારી લીધી છે.
Prima facie the blast appears to be accidental in nature, probably caused due to a cylinder or other pressure equipment failure. Driver Amjad Ali is grievously injured. FSL team is on job and checking the vehicle to rule out any other probability: Srinagar Police pic.twitter.com/EgvFD01uKD
આ હુમલાની જવાબદારી જમ્મુમાં સક્રિય આતંકી સંગઠન દ રેઝિસ્ટેંસ ફ્રંટે લીધી છે. આ સંગઠન લશ્કરે તૈયબા સાથે જોડાયેલુ છે. સોશિયલ મીડિયા પોસ્ટ મુજબ TRFએ કહ્યુંં કે, મેગ્નેટિક આઈઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પાર્કિંગમાં થયો ધમાકો
આ ધમાકામાં એક ઓટો ડ્રાઈવરનું મોત થઈ ગયું છે. ડોક્ટર્સનું કહેવુ છે કે, ડ્રાઈવરનું મોત નથી થયું, પણ તે ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસે તેની જાણકારી આપતા કહ્યું કે, આ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે જમ્મુ જિલ્લાવાળી વૈનના ડ્રાઈવરે પાર્કિંગ એરિયામાં વાહનનો પાછળનો દરવાજો ખોલ્યો. આ ધમાકો એવા સમયે થયો છે, જ્યારે ટૂરિસ્ટ લોકો ડ્રાઈવરને પાર્કિંગમાં છોડીને ફરાવવા માટે ગયા હતા. તમામ ગાડીઓ પાર્કિંગમાં હતી. ત્યારે જ આ ધમાકો થયો હતો.
અથડામણમાં બે આતંકી થયા ઠાર
આપને જણાવી દઈએ કે, સુરક્ષાદળોએ આજે સવારે 2 આતંકીઓને પતાવી દીધા હતા. પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષાદળો સાથે થયેલી અથડામણમાં પ્રતિબંધિત આતંકી સંગઠન અંસાર ગજવતુલ હિંદ અને લશ્કરે તૈયબાના 2 આતંકીવાદી માર્યા ગયા હતા. પોલીસે એક અધિકારીને જણાવ્યું હતું કે, આતંકવાદીઓની ઓળખાણ અંસાર ગજવતુલ હિંદના સફત મુઝફ્ફર સોફી ઉર્ફ મુઆવિયા અને લશ્કરના ઉમક તેલી ઉર્ફ તલ્હા તરીકે થઈ છે.