પાકિસ્તાનના લાહોરમાં જૌહર ટાઉન વિસ્તારમાં એક ઘરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો જેમાં 16 લોકો ઘાયલ થયા અને બે લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ આ એ વિસ્તાર છે જ્યાં કુખ્યાત આંતકવાદી હાફિઝ સૈયદ રહેતો હતો.
મુંબઈ હુમલાના આતંકી હાફિઝ સઈદના ઘર પાસે બ્લાસ્ટ
બ્લાસ્ટમાં 2 લોકોના મૃત્યુ, 17 લોકો ઘાયલ
બાઈક પર વિસ્ફોટક લઈને શખ્સો આવ્યા હોવાની શંકા
મુંબઈ હુમલાના આતંકી હાફિઝ સઈદના ઘર પાસે બ્લાસ્ટ
પાકિસ્તાનના લાહોરમાં જૌહર ટાઉન વિસ્તારમાં એક ઘરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો જેમાં 16 લોકો ઘાયલ થયા અને બે લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ આ એ વિસ્તાર છે જ્યાં કુખ્યાત આંતકવાદી હાફિઝ સૈયદ રહેતો હતો. ત્યાંના રિપોર્ટ અનુસાર આ બ્લાસ્ટમાં ઘણા લોકોના મોત થયા હોય તેવું માનવામાં આવે છે, કુલ 16 લોકો ઘાયલ થયા છે. હાલ ત્યાં રેસ્ક્યૂ ટીમ સાથે પોલીસ પણ ઘટના સ્થળે હાજર છે.
બ્લાસ્ટમાં 2 લોકોના મૃત્યુ, 17 લોકો ઘાયલ
ત્યાંનાં લોકોનું કહેવું છે કે આ બ્લાસ્ટની તીવ્રતા એટલી વધુ હતી કે આસપાસના ઘરોના કાચ પણ તૂટી ગયા હતા. આસપાસણી બિલ્ડીંગોને પણ ઘણું નુકસાન થયું છે અને ત્યાં રહેલી ગાડીઓને પણ ઘણું નુકસાન થયું છે. બચાવ અધિકારિઓનું કહેવું છે કે 16 થી વધુ લોકો આ બ્લાસ્ટમાં ઘવાયા છે જેમને રિક્ષા દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.
કોણ છે હાફીઝ?
મુંબઇમાં 2008-09માં હાફીઝ સઈદે આતંકવાદી હુમલો કરાવ્યો હતો. આ પહેલાં 2001માં ભારતીય સંસદ પર હુમલામાં પણ તેનું ષડયંત્ર હતું. ત્યારબાદ 2006માં મુંબઇની ટ્રેનોમાં આતંકવાદી હુમલા પણ તેણે કરાવ્યા હતા. ભારતને આ રીતે આતંકવાદી પ્રવૃત્તિઓથી લોહીલુહાણ કરવું તેમજ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન કરવી તે હાફિઝ સઈદનું કામ રહે છે. આતંકવાદી સંગઠન જમાત-ઉદ્-દાવાનો તે ચીફ છે જેને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવ્યો છે. 2008માં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે તેના પર પ્રતિબંધ મૂક્યા છે.