PM મોદી આજે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. ત્યારે તેમની મુલાકાતના કલાકો પહેલાં તેમના રેલી સ્થળથી 12 કિમી દૂર એક ખેતરમાં બ્લાસ્ટ થતા સુરક્ષા એજન્સી એલર્ટ થઇ ગઇ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. જ્યાં તેઓ કેટલાંક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. ત્યારે તેમની મુલાકાતના થોડાં જ કલાકો પહેલાં તેમના રેલી સ્થળથી 12 કિમી દૂર એક ખેતરમાં શંકાસ્પદ બ્લાસ્ટના કારણે ખળભળાટ મચી ગયો હતો. સવારમાં એકાએક થયેલા આ બ્લાસ્ટથી સુરક્ષા એજન્સીઓની ચિંતામાં પણ વધારો થવા લાગ્યો છે. રિપોર્ટ અનુસાર, બ્લાસ્ટ જમ્મુના બિશ્નાહના લલિયાન ગામમાં થયો હતો. જે PMના રેલી સ્થળથી 11થી 12 KMના અંતરે આવેલ છે.
Jammu | "Suspected blast" reported by villagers in open agricultural land in Lalian village, Bishnah
Suspecting it to be a lightning strike or a meteorite; Investigation is underway, say police. pic.twitter.com/6PFaD8hHN0
આ સાથે જ આ વિસ્ફોટના કારણે જમીનમાં પણ દોઢ ફૂટ જેટલો ઊંડો ખાડો પડી ગયો હતો. જો કે, આ વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને પોલીસે હાલમાં આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી દીધી છે. હાલમાં, પોલીસનું કહેવું છે કે, બિશ્નાહના લલિયાન ગામમાં ખુલ્લી ખેતીની જમીનમાં ગામ લોકોએ એક શંકાસ્પદ વિસ્ફોટની જાણ કરી હતી. જો કે, અત્યાર સુધીની તપાસમાં વીજળી પડવાની કે ઉલ્કા પડવાની શક્યતા છે. હાલમાં અમારી તપાસ ચાલુ છે.
શુક્રવારે પણ હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો
જણાવી દઈએ કે, PM નરેન્દ્ર મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલાં શુક્રવારે આતંકવાદીઓએ આત્મઘાતી હુમલાની યોજના ઘડી હતી, પરંતુ CISF ની તત્પરતાએ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 2 શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા. જો કે આ અથડામણમાં CISF નો એક અધિકારી પણ શહીદ થયો હતો. આ અથડામણ જમ્મુની બહાર સુંજવાંમાં થયું હતું.
Jammu & Kashmir | Security checks are underway at the venue in Palli village in Samba from where PM Modi will address the panchayats across the nation on the occasion of Panchayati Raj Diwas pic.twitter.com/Z3MDqDcjSO
આ અથડામણ બાદ સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, આતંકીઓ ફિદાયીન હતા અને તેઓ સુસાઈડ જેકેટ પહેરીને આવ્યા હતાં. આતંકીઓ પાસેથી બે એકે-47 અને ગ્રેનેડ પણ મળી આવ્યા છે. આ સાથે તેઓની પાસેથી એક સુસાઈડ જેકેટ પણ મળી આવ્યું હતું. સુંજવાંમાં જ્યાં આ અથડામણ થઇ હતી તે સ્થળ PM મોદીના સભા સ્થળથી માત્ર 15 કિમી જ દૂર છે. આ હુમલા બાદ હાઈ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જવાના છે. તેને લઈને દેશના રાજકારણમાં હલચલ થવાની શરૂઆત થઈ ગઈ છે. રાષ્ટ્રીય પંચાયતી દિવસે વડાપ્રધાન મોદી સાંબા જિલ્લાના પલ્લી ગામે પહોંચશે. આ ગામને કાર્બન મુક્ત સૌર પંચાયતનો દરજ્જો મળશે. PM મોદી ત્યાંથી જ જમ્મુ-કાશ્મીરના 30 હજારથી વધુ પંચાયતી રાજ સંસ્થાઓના સદસ્યોને સંબોધિત કરશે. PM મોદી કલમ 370 હટાવ્યા પછીના ફાયદાઓ ગણાવશે. જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યાં ભાજપને અનુલક્ષીને પ્લેટફોર્મ બનાવવાની પણ તૈયારી શરૂ કરવામાં આવી શકે છે. આ દરમિયાન પીએમ મોદી અંદાજે 20 હજાર કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.
જાણો શું હશે PM મોદીનો કાર્યક્રમ?
PM મોદી રૂ. 38,082 કરોડના ઔદ્યોગિક વિકાસની દરખાસ્તોનો શિલાન્યાસ કરશે. આ દરમિયાન PM 2 હાઈડ્રોપાવર પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે અને તેની સાથે જમ્મુ-શ્રીનગર ટનલનું પણ ઉદ્ઘાટન કરશે. એવાં પણ સમાચાર સામે આવી રહ્યાં છે કે, PM મોદી દુબઈથી આવેલા રોકાણકારો સાથે ખાસ બેઠક કરવાના છે. વધુ વિકાસ યોજનાઓ અંગે ચર્ચા કરવા તેઓ MR ગ્રુપ, DP વર્લ્ડના પ્રતિનિધિઓને પણ મળવાના છે.
PM મોદીનો વિગતવાર કાર્યક્રમ
સવારે 9.45 જમ્મુ-કાશ્મીર ટેક્નિકલ એરપોર્ટ પહોંચશે
10 વાગે હેલિકોપ્ટર મારફતે શ્રીનગર પહોંચશે
10.15થી 10.45 વચ્ચે રેલ લાઇનનુ ઉદ્ઘઘાટન કરશે
11 વાગે શ્રીનગર જવા રવાના થશે
શ્રીનગર બાદમી બાગ ખાતે સૈન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરશે