પંજાબના અમૃતસરના રાજાઝાંસી વિસ્તારમાં આવેલા ધાર્મિક ડેરામાં બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ થતા 3 નાગરિકોનાં મોત થયા છે અને 10 જેટલા પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ હુમલાખોરોએ ફાયરિંગ પણ કર્યું છે.
Punjab: Several injured in a blast at Nirankari Bhawan in Amritsar's Rajasansi village. More details awaited.
ફાયરિંગમાં એક વ્યક્તિને ઈજા પણ થઈ છે. કેટલાક લોકોએ ધાર્મિક ડેરા પર ગ્રેનેડ અટેક કર્યો અને ત્યાંથી ફરાર થયા. નિરંકારી ડેરા પર આ વિસ્ફોટક પદાર્થ ફેંકીને બ્લાસ્ટ કરવમાં આવ્યો છે. બાઈક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ ગ્રેનેડ અટેક કર્યો હોવાનું સામે આવ્યું છે.
બાઈક પર આવેલા આ બંને અજાણ્યા શખ્સોએ પોતાના ચહેરા પર નકાબ પણ બાંધ્યા હોવાથી તેઓની ઓળખ થઈ નથી. પણ હુમલાખોરોને ઝડપી પાડવા પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. તો ઘટના બાદ રાજસ્થાન બોર્ડર પણ સીલ કરવામાં આવી છે.
Spot visuals: Several injured in a blast at Nirankari Bhawan in Amritsar's Rajasansi village. More details awaited. #Punjabpic.twitter.com/Fzk0FW4725
ઉલ્લેખનીય છે કે ત્રણેક દિવસ અગાઉ ગુપ્તચર એજન્સીએ પંજાબ પોલીસને પણ એલર્ટ કરી હતી. કારણકે જમ્મૂથી પઠાણકોટ જતા ચાર સંદિગ્ધો કાર લઈને ફરાર થયા હતા અને તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.