નેપાળમાં ભારત સરકારે શરૂ કરેલી હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પાવલ પ્લાન્ટ કાર્યાલયમાં રવિવારે અજ્ઞાત હુમલાવરોએ બ્લાસ્ટ કર્યો. આ પ્રોજેક્ટનું 11મી મે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેપાળ મુલાકાત દરમિયાન ઉદ્ધાટન કરવાના હતા. 900 મેગાવોટના પ્રોજેક્ટનું સંચાલન 2020 સુધી શરૂ થવાનું હતું.
જાણવા મળી રહ્યું છે કે બ્લાસ્ટથી બિલ્ડીંગની દીવાલ ધરાશયી થઇ ગઇ છે. અજ્ઞાત હુમલાખોરોએ રવિવારે સવારે અરુણ તૃતીય પરિયોજના કાર્યાલય પર હુમલો કર્યો. આ પરિયોજનાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 મે નેપાળની યાત્રા દરમિયાન ઉદ્ધાટન કરવાના છે.
આ પ્રોજેક્ટ પર પીએમ મોદી અને તત્કાલીન નેપાળ પ્રધાનમંભી સુશીલ કોઇરાલાએ 25 નવેમ્બર 2014એ હસ્તાક્ષર કર્યા હતા. ભારતની સાર્વજનિક ક્ષેત્રની કંપની સતલુજ જળ વિદ્યુત નિગમે કરાર પર સહી કરી હતી. આ પૂરો પ્રોજેક્ટ 2020 સુધી શરૂ થવાનો છે.
જણાવી દઇએ કે આ વિસ્ફોટથી પ્રધાનમંત્રીની નેપાળ મુલાકાત લઇને પ્રશ્નો ઊભા થયા છે. નેપાળમાં ભારતીય સંપત્તિઓ પર એક મહિનાની અંદર કરવામાં આવેલો બીજો વિસ્ફોટ છે. આ પહેલા 17 એપ્રિલે વિરાટનગરમાં ભારતીય દૂતાવાસની ફીલ્ડ ઓફિસની પાસે એક પ્રેશર કુકરમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો જેમાં પરિસરની દીવાલો ધરાશયી થઇ હતી.
આ યાત્રા દરમિયાન બંને દેશોપીએમ અરુણ III પનબિજલી પાવર પ્લાન્ટનું ઉદ્ધાટન સંયુક્ત રૂપથી કરશે. બંને દેશોનું ફોકસ કૃ।િમાં સહયોગ રેલવે વોટરવે અને ઇનલેન્ડ વોટર સંપર્ક વધારવા પર હશે.