સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડે (DY Chandrachud) 'અસહમતિ' ને લોકતંત્રનો 'સેફ્ટી વૉલ્વ' કરાર આપતા શનિવારે કહ્યું કે અસહમતિને રાષ્ટ્ર વિરોધી અને લોકતંત્ર વિરોધી બતાવવી લોકતંત્ર પર હુમલો છે. તેઓએ કહ્યું કે વિચારોને દબાવી દેવા દેશની અંતરઆત્માને દબાવા જેવુ છે. તેઓની આ ટિપ્પ્ણી એવા સમયે આવી છે જ્યારે સંશોધિત નાગરિકાત કાયદો (CAA) અને એનઆરસીને લઇને દેશના તમામ ભાગોમાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે.
અસહમતિને રાષ્ટ્ર વિરોધી અને લોકતંત્ર વિરોધી બતાવવી લોકતંત્ર પર હુમલો: જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડે
અસહમતિને દબાવવા માટે સરકારી તંત્રનો ઉપયોગ અયોગ્ય છે : જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડે
CAA અને NRCને લઇને દેશના તમામ ભાગોમાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે
સુપ્રીમ કોર્ટના સીનિયર જજ ડીવાઇ ચંદ્રચૂડ (DY Chandrachud) એ શનિવારે હિન્દુ રાષ્ટ્ર અને મુસ્લિમ રાષ્ટ્રની થીયરીને ફગાવી દીધી છે. જજે કહ્યું છે કે બંધારણ નિર્માતાઓએ 'રિપબ્લિક ઓફ ઇન્ડિયા' ની બુનિયાદ રાખી છે. ગુજરાતમાં પોતાના એક લેક્ચર દરમિયાન ચંદ્રચૂડે આમ વાત કહી. તેઓ 15માં જસ્ટિસ પીડી દેસાઇ મેમોરિયલ લેક્ચરમાં પોતાના વિચાર રજૂ કરવા માટે અમદાવાદ પહોંચ્યા હતા.
અસહમતિને દબાવવા માટે સરકારી તંત્રનો ઉપયોગ અયોગ્ય
જસ્ટિસ ચંદ્રચૂડે અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટના ઓડિટોરિયમમાં 15મી પી ડી મેમોરિયલ લેક્ચરમાં આમ વાત કહી. તેઓએ કહ્યું કે અસહમિત પર અંકુશ લગાવવા માટે સરકારી તંત્રનો ઉપયોગ ડરની ભાવના પેદા કરે છે જે કાયદાના શાસનનું ઉલ્લંઘન કરે છે. તેઓએ કહ્યું કે અસહમિતને રાષ્ટ્ર વિરોધી અને લોકતંત્ર વિરોધી બતાવી દેવી બંધારણીય મૂલ્યોના સંરક્ષણ અને વિચાર વિમર્શ કરનારા લોકતંત્રને પ્રોત્સાહન આપવા પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાની મૂળ ભાવના પર પ્રહાર કરે છે.
જસ્ટિસ ચન્દ્રચૂડે કહ્યું કે અસહમતિનું સંરક્ષણ કરવું એ યાદ કરાવે છે લોકશાહી રૂપે એક ચૂંટાયેલી સરકાર આપણાને વિકાસ અને સામાજિક સમન્વય માટે એક સાચુ હથિયાર આપે છે. એ (સરકાર) એ મૂલ્યો અને બાબતો પર ક્યારેય એકાધિકારનો દાવો ન કરી શકે જે આપણા બહુલવાદી સમાજને વ્યાખ્યાયિત કરે છે.
અસહમતિ લોકતંત્રનો એક 'સેફ્ટી વૉલ્વ': જસ્ટિસ ચંદ્રચૂડ
જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે 'અસહમતિ પર અંકુશ લગાવવા માટે સરકારી મશીનરીને લગાવવી ડરની ભાવના પેદા કરે છે અને સ્વતંત્ર શાંતિ પર એક ડરાવનો માહોલ પેદા કરે છે જે કાયદાના શાસનનું ઉલ્લંઘન કરે છે અને બહુલવાદી સમાજની બંધારણીય દિર્ધદ્રષ્ટીથી ભટકાવે છે.' તેઓએ કહ્યું કે સવાલ કરવાની શક્યતાને ખતમ કરવી અને અસહમતિને દબાવવી તમામ પ્રકારની પ્રગતિ, રાજકીય, આર્થિક, સાસંસ્કૃતિક અને સામાજિક બુનિયાદ નષ્ટ કરે છે. આ અર્થઘટનને આધારે અસહમતિ લોકતંત્રનો એક 'સેફ્ટી વૉલ્વ' છે.
સુપ્રીમ કોર્ટના જજે એમ પણ કહ્યું કે અસહમિતને દબાવી દેવાનો પ્રયાસ અને લોકોના મનમાં ડર પેદા થવો વ્યક્તિગત સ્વતંત્રતાનું હનન અને બંધારણીય મૂલ્યના પ્રતિ પ્રતિબદ્ધતાથી આગળ સુધી જાય છે.
લોકતંત્ર આપે છે લઘુમતિઓના વિચારોને સુરક્ષા
જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે વિચાર-વિમર્શ વાળા સંવાદનું સંરક્ષણ કરવાની પ્રતિબદ્ધતા પ્રત્યેક લોકતંત્રનું, ખાસ કરીને કોઇ સફળ લોકતંત્રનું એક અનિવાર્ય પાસુ છે. તેઓે કહ્યું કે કારણ અને ચર્ચાના આદર્શોથી જોડાયેલું લોકતંત્ર એ સુનિશ્ચિત કરે છે કે લઘુમતિઓના વિચારોને દબાવી દેવામાં આવશે નહીં અને એ સુનિશ્ચિત કરવામાં આવશે કે દરેક પરિણામ માત્ર સંખ્યાબળનું પરિણામ નહીં હોય. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે લોકતંત્રની સાચી પરીક્ષા તેની સૃજનતા અને એ શક્યતાઓને સુનિશ્ચિત કરવાની તેની ક્ષમતા છે જ્યાં દરેક વ્યક્તિ કોઇ ડર રાખ્યા વિના પોતાના વિચાર વ્યક્ત કરી શકે.