જ્યારે સાનિયા મિર્ઝાને વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમની હાર માટે પૂછવામાં આવ્યું તો સાનિયાએ સામે પૂછ્યું કે, એ હાર માટે કેવી રીતે જવાબદાર છે. એને કહ્યું, 'જ્યારે વિરાટ શૂન્ય પર આઉટ થયો કો અનુષ્કા શર્માને દોષિત માનવામાં આવે છે, પરંતુ એની ક્યાં કોઇ લેવાદેવા છે. એનો કોઇ મતલબ થતો નથી.'
ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ક્રિકેટ પ્રવાસ પર ખેલાડીઓની સાથે WAGSની સાથે જવાનું સમર્થન કર્યું છે
એને કહ્યું કે મહિલાઓને તાકાત નહીં પરંતું ધ્યાનભંગ કરનારી માનવામાં આવી રહી છે
પરંતુ આવું નથી, ફેમિલી અથવા મહિવા મિત્ર સાથે હોય છે તો એનાથી સહયોગ મળે છે
જ્યારે એને પૂછવામાં આવ્યું કે પાકિસ્તાનની હાર પર એ જવાબદાર કેવી રીતે તો એને વિરાટ અનુષ્કાની સ્ટોરી સંભળાવી દીધી
ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ક્રિકેટ પ્રવાસ પર ક્રિકેટરોની પત્નીઓ અને મહિલા મિત્રોની સાથે જવાની અનુમતિ નહીં આપવાની ટીકા કરી છે. એને એખ ઇવેન્ટમાં કહ્યું કે આ રવૈયો એ માનસિકતાથી બન્યું છે, જેમાં મહિલાઓને તાકાત નહીં પરંતુ ધ્યાન ભટકાવે એવી માનવામાં આવે છે. સાનિયાએ અહીંયા ભારતીય મંચ પર કહ્યું કે છોકરીઓને નાની ઉંમરથી જ રમતોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવી જોઇએ.
જ્યારે એે વર્લ્ડકપમાં પાકિસ્તાનની હાર માટે પૂછવામાં આવ્યું તો સાનિયાએ કહ્યું કે એ કેવી રીતે એના માટે જવાબદાર હોઇ શકે. એને કહ્યું, 'જ્યારે વિરાટ શૂન્ય પર આઉટ થયો કો અનુષ્કા શર્માને દોષિત માનવામાં આવે છે, પરંતુ એની ક્યાં કોઇ લેવાદેવા છે. એનો કોઇ મતલબ થતો નથી.'
સાનિયાએ કહ્યું ઘણી વખત અમારી ક્રિકેટ ટીમ અને ઘણી અન્ય ટીમોમાં, મે જોયું છે કે પત્નીઓ અથવા મહિલા મિત્રોને પ્રવાસ પર જવાની પરવાનગી આપવામાં આવતી નથી, કારણ કે છોકરાઓનું ધ્યાન ભંગ થઇ જશે.' સાનિયાએ કહ્યું, 'એનો શું મતલબ છે? મહિલાઓ એવું તો શું કરે છે જેનાથી પુરુષોનું ધ્યાન આટલું ભંગ થઇ જાય છે?'
સાનિયાએ કહ્યું કે આ સાબિત પણ થઇ ચુક્યું છે કે ટીમમાં પુરુષ ખેલાડી ત્યારે સારું પ્રદર્શન કરે છે જ્યારે એની પત્નીઓ અને મહિલા મિત્ર અને એનો પરિવાર એની સાથે હોય છે, કારણ કે એનાથી જ્યારે તેઓ રૂમમાં આવે છે તો એ ખુશી મહેસૂસ કરે છે.