દેશમાં ગંભીર વીજ કટોકટીની વચ્ચે કેન્દ્ર સરકારે એક રાહતના સમાચાર આપ્યાં છે. કેન્દ્રીય ઊર્જા સચિવ આલોક કુમારે કહ્યું છે કે દેશમાં વીજ પુરવઠાની સ્થિતિ નિયંત્રણમાં છે.
દેશમાં ગંભીર વીજ કટોકટીની વચ્ચે રાહતના સમાચાર
કેન્દ્રીય પાવર સેક્રેટરીનું મોટું નિવેદન
દેશમાં વીજ પુરવઠાની સ્થિતિ નિયંત્રણમાં
પાવર સેક્રેટરીનું આ નિવેદન ઊર્જા અને કોલસા મંત્રીઓએ કોલસાના ભંડારના અભાવને કારણે બ્લેકઆઉટની ચિંતાઓને સ્વીકાર્યાના એક દિવસ પછી આવ્યું હતું.
કેટલાક રાજ્યોમાં વીજળીની અછત પણ સ્થિતિ નિયંત્રણમાં
કુમારે કહ્યું હતું કે, "કેટલાક રાજ્યોમાં કેટલાક વિસ્તારોમાં વીજળીની અછત છે, પરંતુ વીજ પુરવઠાની સ્થિતિ નિયંત્રણમાં છે. વીજળીની અછત બહુ ગંભીર નથી." તેમણે કહ્યું કે કેટલાક રાજ્યોમાં કોલસા કંપનીઓનું ભારે દેવું છે, જ્યારે કેટલાક રાજ્યોમાં કોલસાનો જથ્થો ઓછો છે.
મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ અને યુપીએ બાકી લેણાની ચુકવણી કરવી પડશે
કુમારે કહ્યું, "રાજસ્થાને તેના કેપ્ટિવ કોલસા ખાણ ડેવલપરને ચૂકવણી કરી નથી. મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ અને યુપીએ પુરવઠો જાળવવા માટે કોલસા કંપનીઓની બાકી લેણદેણ સાફ કરવી પડશે. ગુજરાત અને હરિયાણાતરફથી ચુકવણીની કોઈ સમસ્યા નથી." કુમારે કહ્યું કે કોલસા સચિવે તેમને ખાતરી આપી હતી કે એનટીપીસી પ્લાન્ટ્સ પાસે પૂરતો કોલસો છે જેથી પુરવઠાને વેગ મળી શકે.
8 ઓક્ટોબરે વીજળીની ખપત 390 કરોડ રુપિયા
પાવર સેક્રેટરીએ કહ્યું હતું કે, "સરેરાશ પાવર એક્સચેન્જયુનિટ દીઠ 12-13 રૂપિયાની કિંમત ચૂકવી રહ્યા છે. વધુ વીજ પુરવઠો કિંમતોને વધુ નીચે લાવે તેવી સંભાવના છે. કોલસાનું ઉત્પાદન ચોક્કસપણે વધશે."વીજ મંત્રાલયના આંકડા મુજબ વીજળીનો વપરાશ શનિવારે લગભગ બે ટકા એટલે કે 7.2 કરોડ યુનિટ ઘટીને 382.8 કરોડ યુનિટ થયો હતો, જે શુક્રવારે 390 કરોડ યુનિટ હતો. જેના કારણે કોલસાની અછત વચ્ચે દેશભરમાં વીજ પુરવઠામાં સુધારો થયો હતો.