સિંધવ મીઠામાં રહેલા ખનીજ એન્ટીબેક્ટેરિયલનું કામ કરે છે. આ કારણે શરીરમાં રહેલા ખતરનાક બેક્ટેરિયા ખતમ થાય છે અને વજન તથા ચરબી ઘટાડવામાં મદદ મળે છે.
આ રીતે કરી લો રસોઈમાં રહેતી 1 ચીજનો પ્રયોગ
ફટાફટ ઓગળશે પેટની ચરબી અને સ્થૂળતા થશે ગાયબ
ઘરેલૂ ઉપાયની નથી કોઈ સાઈડ ઈફેક્ટ
જો તમે પણ તમારું વજન ઓછું કરવા ઈચ્છો છો તો આ તમારા માટે ખાસ ઉપાય છે. અમે તમને આજે સિંધવ મીઠાના ફાયદા જણાવીશું. તેને આયુર્વેદમાં પણ ખાસ માનવામાં આવ્યું છે. ભોજનને ટેસ્ટી બનાવવાથી લઈને શરીરને સ્વસ્થ રાખવા માટે તેના ખાસ ઉપાયો છે. તેનાથી તમે વધતી સ્થૂળતાથી અને ચરબીથી પણ છૂટકારો મેળવી શકો છો. સિંધવ મીઠામાં રહેલા ખનીજ એન્ટીબેક્ટેરિયલનું કામ કરે છે. તેનાથી શરીરમાં રહેલા ખતરનાક બેક્ટેરિયા ખતમ થાય છે અને આ સિવાય તે પાચનને દુરસ્ત કરીને શરીરની કોશિકાઓને પોષણ આપે છે. તેનાથી વજનને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
જાણો ઉપયોગની રીત
એક્સપર્ટનું કહેવું છે કે ભોજનમાં સોડિયમનું વધારે હોવું એ શરીરમાં બિનજરૂરી પાણીના પ્રમાણને વધારે છે. કાળા મીઠામાં એટલે કે સિંધવ મીઠામાં સોડિયમનું પ્રમાણ વધારે હોય છે. તેના સિવાય તે અનેક ગુણોથી ભરપૂર હોવાથી બિન જરૂરી પાણીને ઘટાડે છે. જમ્યા બાદ પેટ ભારે લાગે તો ગરમ પાણીમાં સિંધવ મીઠું નાંખીને ચાની જેમ પીવાથી ભોજન સરળતાથી પચે છે અને બોડીની એક્સ્ટ્રા ફેટ બર્ન કરવામાં મદદ મળે છે.
સિંધવ મીઠાના આ પણ છે ફાયદા
સિંધવ મીઠુ આયુર્વેદમાં કુલિંગ સોલ્ટ માનવામાં આવે છે. તેને પેટમાં થનારી મુશ્કેલીમાં તરત અસર કરનારી દવા માનવામાં આવે છે.
આ કબજિયાત, પેટની ખરાબી, પેટ ફૂલવું, હિસ્ટીરિયાની સાથે સાથે આંખ માટે ફાયદો કરે છે. સિંધવ મીઠું રોજ સવારે ગરમ પાણી સાથે મિક્સ કરીને પીવાથી શરીરને ફાયદો રહે છે.
જો તમે કફની સમસ્યાથી પરેશાન છો તો સિંધવ મીઠાનો એક ટુકડો મોઢામાં રાખો અને તેનો રસ ગળામાં જવા દો. આવું કર્યા બાદ 2 કલાક સુધી કંઈ ખાઓ નહીં અને પીઓ નહીં. તમને કફમાં આરામ મળશે.
તમને સાંધાનો દુઃખાવો રહે છે તો તમે શક્ય તેટલું સિંધવ મીઠું ઉપયોગમાં લો. તેનાથી તમારા સાંધાના દર્દમાં પણ તમને રાહત મળશે.